અંકલેશ્વર: ખેતરમાંથી ડાંગરનો પાક બચાવી રસ્તા પર સુક્વ્યો, આજે વરસેલા વરસાદમાં એ પણ પલળી જતા ખેડૂતોની કફોડી હાલત !

ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધુ...

New Update
  • અંકલેશ્વર હંસોટમાં કમોસમી વરસાદનો કહેર

  • રસ્તા પર સુકવેલો ડાંગરનો પાક પલળી ગયો

  • અગાઉ ખેતરમાંથી રસ્તા પર સુકવાયો હતો પાક

  • ડાંગરના વેચાણ ભાવમાં ભારે ઘટાડો

  • ખેડૂતો કફોડી પરિસ્થિતિમાં

અંકલેશ્વર પંથકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અગાઉ મીની વાવાઝોડા સાથે વરસેલ વરસાદના કારણે ખેડૂતોએ તેમનું ડાંગર જાહેર રસ્તા ઉપર સુકવ્યું હતું ત્યારે આજે ફરીવાર વરસેલ વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોના માથે બેવડી આફત જોવા મળી રહી છે
અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધુ હતું.ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢયો હતો અને રોડ પર સૂકવ્યો હતો. હાંસોટના કુડાદરા,પરવત અને અંકલેશ્વરના સિસોદ્રા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્યમાર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સુકવેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુક્શાન થયું છે.
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા ડાંગર નો પ્રતિ રૂ.500 હતો પરંતુ સતત બે વાર વરસાદ વરસતા હવે તેમાં 100 રૂપિયાનો ઘટાડો થઈને રૂ.400ની આસપાસ  વેપારીઓ તેઓને ભાવ આપી રહ્યા છે ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું. આ વર્ષે પણ ભરઉનાળે 2-2 વખત કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે ત્યારે ખોટ ખાઈને પણ ખેડૂતો તેમનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.