અંકલેશ્વર: વોર્ડ નંબર-9માં વિકાસના કાર્યો નિર્માણ પામશે, ખાતમુહૂર્ત કરાયુ

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવાસદનના વોર્ડ નંબર નવમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં વિકાસના કામોનો ધમધમાટ

  • વોર્ડ નંબર 9માં વિકાસ કાર્યો

  • પેવર બ્લોક સહિતની કરાશે કામગીરી

  • રૂપિયા 40 લાખનો ખર્ચ કરાશે

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 9માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવાસદનના વોર્ડ નંબર નવમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
 વોર્ડ નંબર 9 માં રૂપિયા 40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરી કરવામાં આવશે આ કામગીરીનું નગર સેવાસદનના પ્રમુખ લલીતાબહેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરસેવક સુરેશ પટેલ સહિત હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.