ભરૂચ: જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથીજી મહારાજના 890 જવારાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરાયું

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથીજી દાદાના મંદિરે જવારાનુ મોટી સંખ્યામાં સ્થાપન કરવામાં આવ્યું હતું,

New Update

જંબુસરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી 

વેડચ ગામે ભાથીજી મંદિરે કરાયું હતું જવારાનું વિસર્જન 

890 જેટલા જવારાનું કરાયું હતું સ્થાપન 

મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા 

દશેરાના દિવસે ભક્તોએ કર્યું જવારાનું વિસર્જન 

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથીજી દાદાના મંદિરે જવારાનુ મોટી સંખ્યામાં સ્થાપન કરવામાં આવ્યું હતું,અને ભક્તો દ્વારા વાજતેગાજતે શોભાયાત્રા કાઢી મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલ ગામ તળાવમાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે ગોપ ચૌહાણ વગામાં 151 વર્ષ ઉપરાંતનું પૌરાણિક ભાથીજી દાદાનુ મંદિર આવેલ છે. વેડચ ગામની આજુબાજુનાં  ગ્રામજનો સહિત વડોદરા,સુરતના ભાવિક ભક્તો જવારાનું સ્થાપન કરવા માટે આસો સુદ બીજના રોજ આવે છે.વર્તમાન સમયમાં 890 જવારાની સ્થાપના કરવામાં આવી હતી.અને જવારાનું વિસર્જન કરવા માટે દશેરાના દિવસે ઉત્સાહ પૂર્વક ધામધૂમથી સંગીતના સથવારે વિસર્જન યાત્રા યોજાઈ હતી.અને મહાકાળી માતાના મંદિર પાસે આવેલ ગામ તળાવમાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાથીજી મહારાજના જવારાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ પ્રસંગે કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર,મંદિરના ટ્રસ્ટી અને માજી સરપંચ રણજીત  જાદવ,ડેપ્યુટી સરપંચ,મારુતિ મિત્ર મંડળ, ભાથીજી બાળમંડળ તથા સમસ્ત વેડચ ગ્રામજનોએ દર્શનનો  લ્હાવો લીધો હતો.
Read the Next Article

ભરૂચ: PM કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી કરાવવી ફરજિયાત, ખેડૂતોને સત્વરે નોંધણી કરાવવા અનુરોધ

ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે

New Update
Farmer Registry
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૦માં હપ્તાનો લાભમેળવવા માટે ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ, બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે.
ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.