ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું

અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

New Update
bharuch
ભરૂચ જિલ્લામાં આવેલ નદી, તળાવ, નહેર, દરીયા વગેરે જેવા જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં જિલ્લામાં આવેલા કુલ 67 ભયજનક સ્થળો પર પ્રવાસીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Jahernamu

જાહેરનામામાંથી માછીમારી સાથે સંકળાયેલ લોકો તેમજ સરકારી ફરજ પર રોકાયેલ કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ:-

Pratibandh

Latest Stories