New Update
/connect-gujarat/media/media_files/2025/07/12/akhla-yudhdh-2025-07-12-14-27-23.jpg)
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું જેના કારણે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી આખલા બાખડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ સમયાંતરે શરૂ કરવામાં આવે છે ત્યારે આ ઝુંબેશ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી રહેશો માંગ કરી રહ્યા છે.
Latest Stories