New Update
/connect-gujarat/media/media_files/2024/11/15/gEP3oUouTiqrGKuRQ4l6.png)
આદિવાસીના જનનાયક બિરસા મુંડાની આજરોજ 150મી જન્મજયંતિ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે,આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી મસીહા છોટુ વસાવાએ આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પ્રસંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી,અને જણાવ્યું હતું કે ઝારખંડમાં સરકારના વડા બિરસા મુંડાની પ્રતિમાને પુંજે છે ત્યારે ક્રાંતિકારી બિરસા મુંડાને ભારત સરકાર દ્વારા ભારત રત્ન કેમ આપવામાં આવતું નથી,જો સાચી લાગણી છે તો બિરસા મુંડાને ભારત રત્ન આપવાની માંગ તેઓએ કરી હતી.