ઝઘડિયા : ભારે પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત,વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત મકાનના પતરા પણ ઉડ્યા

વાવાઝોડા સાથે વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારમાં કેટલાક મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી.તેમજ મકાનોની દિવાલો પણ ધરાશાયી થતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું

New Update
  • ઝઘડીયા પંથકમાં વરસાદથી નુકસાન

  • ભારે પવનના જોર સાથે વરસ્યો હતો વરસાદ

  • વૃક્ષો પાડવા સહિત મકાનના પતરા પણ ઉડ્યા

  • વૃક્ષો વાહનો પર પડતા સર્જાયું નુકસાન

  • ગરીબોના ઘરની છત ઉડી જતા ભારે હાલાકી 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કમોસમી તોફાની વરસાદે ભાર નુકસાન પહોંચાડ્યું છે,જેમાં કેટલાક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત મકાનોના પતરા ઉડી ગયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાતે ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતોવાવાઝોડા સાથે વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારમાં કેટલાક મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી.તેમજ મકાનોની દિવાલો પણ ધરાશાયી થઈ છે અને વાહનો પર વૃક્ષો પડવાથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છેસાથે રાજપારડીથી ભાલોદ,ઝઘડિયાથી રાજપારડીભાલોદથી ઓર પટાર જેવા માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતોઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી ખાતે મોડી રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે લોકોની પતરાની છતો હવામાં ઉડી ગઈ હતી.તેમજ મકાનોની દીવાલો પણ ધસી પડી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ : યુનિયન સ્કૂલમાં શાળામાં પ્રવેશોત્સવ યોજાયો, બાળકોને શૈક્ષણિક કીટ આપીને આપ્યો આવકાર

ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

New Update
  • ભરૂચમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

  • યુનિયન સ્કૂલ ખાતે યોજાયો કાર્યક્રમ

  • શાળામાં બાળકોને આપવામાં આવ્યો આવકાર

  • બાળકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

  • બાળકોને શૈક્ષણિક કીટનું પણ કરાયું વિતરણ    

ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત શાળાના ટ્રસ્ટીઓ તેમજ અન્ય આગેવાનો અને આમંત્રિત મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર પ્રકાશ ફેંકતા જણાવ્યું કે નાનપણથી જ શિક્ષણના સારા સંસ્કાર મળે તો બાળકનું ભવિષ્ય શાસ્ત્રોમાંસંશોધનમાં અને સમાજસેવામાં ઉજળું બની શકે છે.આ પ્રસંગે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ પણ બાળકોને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું અને શૈક્ષણિક યાત્રાની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.