ભરૂચ જિલ્લામાં તા.18 થી 24 જૂન દરમ્યાન ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા તંત્રની સૂચના

વરસાદને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને સતર્ક છે. અત્યંત ભારે વરસાદ-રેડ એલર્ટને પગલે બિનજરૂરી પ્રવાસ ટાળવા નાગરિકોને સહકાર આપવા અને સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરાયો

New Update
rainfall Alert
હવામાન ખાતા દ્વારા તા.૧૮-૦૬-૨૦૨૫ થી તા.૨૪-૦૬-૨૦૨૫ સુધી આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર આ દિવસો દરમ્યાન ભરૂચ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ, ભારેથી અતિભારે  વરસાદની આગાહી કરવામા આવી છે. વરસાદને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને સતર્ક છે.
અત્યંત ભારે વરસાદ-રેડ એલર્ટને પગલે બિનજરૂરી પ્રવાસ ટાળવા,નાગરિકોને સહકાર આપવા અને સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરાયો છે.આપાતકાલીન પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાવાસીઓને જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ -  ૦૨૬૪૨-૨૪૨૩૦૦ તેમજ ટોલ ફ્રી નંબર- ૧૦૭૭ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.