ભરૂચ: જંબુસર બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

ભરૂચમાં નગર સેવા સદન અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા

New Update

ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત

Advertisment

જંબુસર બાયપાસ વિસ્તારના દબાણો દૂર કરાયા

મુખ્ય માર્ગને અડીને કરાયા હતા દબાણ

દબાણકારોમાં ફફડાટ

વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ

ભરૂચમાં નગર સેવા સદન અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા
Advertisment
ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ દબાણકારો દ્વારા માર્ગ પર દબાણ કરવામાં આવતા વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જીએસઆરડીસી, નેશનલ હાઇવે, માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાની દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે. પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં જંબુસર બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશની શરૂઆત કરાઈ હતી. જેમાં વાહન ચાલકોને અડચણરૂપ અને ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. કામગીરી શરૂ થતાં જ દબાણકારોમાં ફફડાટ સાથે  દબાણો સ્વયં હટાવતા જોવા મળ્યા હતા.આ કામગીરીમાં નેશનલ હાઇવે એક્ઝિક્યુટિવ ભરત પટેલ, નગર પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી અને  અધિકારીઓ જોડાયા હતા. 
અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે દબાણ કરનાર લારી ગલ્લાવાળા ધારકોએ પણ વહીવટી તંત્ર પાસે રોજગારી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટેની માંગ કરી હતી
Advertisment
Read the Next Article

ભરૂચ: શાળાઓ વાલીઓને ચોક્કસ જગ્યાએથી જ નોટબુક-યુનિફોર્મ ખરીદવા દબાણ ન કરી શકે, શિક્ષક વિભાગે બહાર પાડ્યો પરિપત્ર

ભરૂચમાં શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા વાલીઓને દબાણ ન કરી શકાય.આવી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચ શિક્ષણ વિભાગનો પરિપત્ર

  • શાળાઓ માટે પરિપત્ર બહાર પડાયો

  • નોટબુક સહિતની સામગ્રી ચોક્કસ જગ્યાએથી ખરીદવા દબાણ ન થઈ શકે

  • શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે

  • કેટલીક શાળા આવી પ્રવૃત્તિ કરતી હોવાનું આવ્યું હતું બહાર

Advertisment W3.CSS
ભરૂચમાં શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા વાલીઓને દબાણ ન કરી શકાય.આવી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી નોટબુક, પુસ્તકો, સ્કૂલબેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મળી હતી.આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી તમામ શાળાઓને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.શિક્ષણ અધિનિયમ RTE-2009 તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા. 02/12/2014 ના ઠરાવ મુજબ શાળાઓ પોતાનું લોગો છપાવેલી નોટબુક કે ચોક્કસ દુકાનો પરથી સામગ્રી ખરીદવા ફરજ પાડી શકે તેમ નથી.આ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964ની કલમ-17 મુજબ શાળાએ વિદ્યાર્થીઓ ઉપર કોઈ પણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકાતી નથી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટનાઓ સામે આવશે તો તેઓ વિરૂદ્ધ RTE એક્ટ અને શિક્ષણના નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.