ભરૂચમાં સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા વરસતા વરસાદમાં રેલીનું આયોજન,બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થયેલા અત્યાચાર સામે આક્રોશ

ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર , બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ફાટી નીકળેલી હિંસામાં ખુદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન હસીના શેખે પણ દેશ છોડવો પડ્યો હતો,

New Update

બાંગ્લાદેશમાં હિન્દુઓ અને ધર્મસ્થાનો પર થતા હુમલાનો વિરોધ

પાંચબત્તી થી કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ 

સમસ્ત સનાતની હિન્દુ સમાજે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર  

વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

 કેન્દ્ર સરકાર પાસે હિન્દુઓના રક્ષણ માટે કરાઈ માંગ 

બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ફાટી નીકળેલી હિંસામાં ખુદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન હસીના શેખે પણ દેશ છોડવો પડ્યો હતો,અને ત્યારબાદ સ્થિતિ કાબુમાં આવવાના બદલે વધુ વિકટ બની હતી,તેમજ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર પણ અત્યાચાર ગુજારવાનું શરુ કર્યું હતું,અને હિન્દુ ધાર્મિક સ્થળો ઉપર પણ તોડફોડ સહિતની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.

આ ઘટનાના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા,ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને હિન્દુ ધાર્મિક સ્થળોના રક્ષણ માટે ભરૂચ સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.ભરૂચ શહેરના પાંચબત્તી થી કલેકટર કચેરી ખાતે સમસ્ત સનાતની હિન્દુ સંગઠન દ્વારા વરસતા વરસાદમાં એક રેલી યોજવામાં આવી હતી ,અને આ રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી.રેલીમાં ઉપસ્થિત આગેવાનોએ ભારત સરકારને સંબોધીને કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું,અને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને હિન્દુ ધાર્મિક સ્થળો પર થઇ રહેલી હિંસા અને અત્યાચાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.