ભરૂચમાં સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા વરસતા વરસાદમાં રેલીનું આયોજન,બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થયેલા અત્યાચાર સામે આક્રોશ

ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર , બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ફાટી નીકળેલી હિંસામાં ખુદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન હસીના શેખે પણ દેશ છોડવો પડ્યો હતો,

New Update

બાંગ્લાદેશમાં હિન્દુઓ અને ધર્મસ્થાનો પર થતા હુમલાનો વિરોધ

પાંચબત્તી થી કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ 

સમસ્ત સનાતની હિન્દુ સમાજે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર  

વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

 કેન્દ્ર સરકાર પાસે હિન્દુઓના રક્ષણ માટે કરાઈ માંગ 

બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ફાટી નીકળેલી હિંસામાં ખુદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન હસીના શેખે પણ દેશ છોડવો પડ્યો હતો,અને ત્યારબાદ સ્થિતિ કાબુમાં આવવાના બદલે વધુ વિકટ બની હતી,તેમજ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર પણ અત્યાચાર ગુજારવાનું શરુ કર્યું હતું,અને હિન્દુ ધાર્મિક સ્થળો ઉપર પણ તોડફોડ સહિતની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.

આ ઘટનાના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા,ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને હિન્દુ ધાર્મિક સ્થળોના રક્ષણ માટે ભરૂચ સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.ભરૂચ શહેરના પાંચબત્તી થી કલેકટર કચેરી ખાતે સમસ્ત સનાતની હિન્દુ સંગઠન દ્વારા વરસતા વરસાદમાં એક રેલી યોજવામાં આવી હતી ,અને આ રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી.રેલીમાં ઉપસ્થિત આગેવાનોએ ભારત સરકારને સંબોધીને કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું,અને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને હિન્દુ ધાર્મિક સ્થળો પર થઇ રહેલી હિંસા અને અત્યાચાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર, થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • વધુ 4 આરોપીઓની ધરપકડ

  • આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

  • કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા 

  • થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ભરૂચમાં બહાર આવેલ ચમચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી.ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટીયાની ધરપકડ કરી હતી. જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી,મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓના  કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રૂપિયા અન્ય કોના કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસ છે તપાસનો ધમમાટ  શરૂ કર્યો છે.