અંકલેશ્વર: જે. બી.મોદી કેન્સર સેન્ટરમાં નવીન ઓપીડીનું લોકાર્પણ

અંકલેશ્વરની જયાબહેન મોદી કેન્સર સેન્ટરમાં નવીન ઓપીડીનું આમંત્રીતોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વરની જયાબહેન મોદી કેન્સર સેન્ટરમાં નવીન ઓપીડીનું આમંત્રીતોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જે. બી. મોદી કેન્સર સેન્ટર ખાતે તારીખ 13 ઓગસ્ટના રોજ કેન્સર સેન્ટરના નવીન ઓપીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સજ્જન ઇન્ડિયા કંપનીના એમ.ડી.રાજેશકુમાર શ્રીવાસ્તવ અને બોરોસીલ રીન્યુએબલના કિરણ ખેરૂકા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવીન ઓપીડીના સર્જન માટેનો મુખ્ય સહયોગ સજ્જન ઇન્ડિયા લિમિટેડ તથા બોરોસીલ રીન્યુએબ્લ લિમિટેડ દ્વારા આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં એ. આઇ. ડી. એસ., ડો. આત્મિ દેલીવાલા, ડો. તેજસ પંડ્યા, જિલ્લાના ઉદ્યોગ સાહસિકો, અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
#Bharuch #Gujarat #CGNews #Ankleshwar #Jayaben Modi Cancer Centre #Opd
Here are a few more articles:
Read the Next Article