ભરૂચ:સંસ્કાર વિદ્યાભવનમાં આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, 120 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

સંસ્કાર વિદ્યાભવનમાં પ્રદર્શન યોજાયું

આંતર શાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન

60 શાળાના 120 વિદ્યાર્થીઓ લીધો ભાગ

આગેવાનોએ આપી હાજરી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
ભરૂચની SMCP સંસ્કાર વિદ્યા ભવનની હોમી લેબના સહયોગથી, 1લી ઑકટોબર, 2024ના રોજ  કૅટાલિસ્ટ - ધ ફ્યુચર એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનમાં બે કેટેગરીમાં 60 શાળાઓ- અને 120 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ,જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જે.કે. રૂઈયા, સામાજિક કાર્યકર  ધર્મેન્દ્રસિંહ મહિડા  હોમી લેબના હેડ ઓફ ઓપરેશન્સ ગુંજા કપૂર,શાળાના આચાર્ય શૈલજા સિંઘ,એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ હાજરી આપી હતી, વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ નવીન પ્રોજેકટ્સની વિશાળ શ્રેણી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.આ પ્રદર્શનમાં શ્રેષ્ઠ શાળા ટ્રોફી કેટેગરી 1માં બાલ ભારતી પબ્લિક સ્કૂલ, ઝાનોર અને બે શાળાઓ, ક્વીન ઓફ એન્જલ્સ હાયર સેકન્ડરી શાળા અને SMCP સંસ્કાર વિદ્યાભવનને એનાયત કરવામાં આવી આવી હતી.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.