ઝઘડિયા : કરાડ ગામનાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા અરેરાટી વ્યાપી,સ્થાનિક ગામની કોઈ યુવતી હોવાની આશંકા!

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગતી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું,

New Update
  • શેરડીના ખેતરમાંથી મળ્યો માનવ કંકાલ

  • ખેતર સળગાવતા મળી આવ્યો કંકાલ

  • સળગતી હાલતમાં જ કંકાલ મળતા અરેરાટી વ્યાપી

  • સ્થાનિક ગામની જ યુવતીનો કંકાલ હોવાની આશંકા

  • પોલીસે ફોરેન્સિક પીએમ સહિતની કાર્યવાહી સાથે તપાસ શરૂ કરી

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગતી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું, ઘટનાને પગલે અરેરાટી વ્યાપી જવાની સાથે રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.અને આ કંકાલ સ્થાનિક કોઈ યુવતીનો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાકરોલ બાદ ઝઘડીયા તાલુકાના કરાડ ગામમાંથી પણ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે.શેરડીના ખેતરને સળગાવવામાં આવતા માનવ દેહ પણ તેમાં હોમાય ગયો હતો,જોકે આ ઘટના અંગેની જાણ મજૂરોને થતા તેઓએ સ્થાનિક લોકોને માહિતી આપી હતી,અને પોલીસને જાણ કરવામાં આવતા ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવીને તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં નર કંકાલ સળગતી હાલતમાં જ મળી આવ્યું હતું,અને મૃતદેહ પાસેથી એક થેલી,કપડા,ચપ્પલ પણ પોલીસને મળી આવ્યા હતા.

પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ શરૂ કરી છે,જ્યારે ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઇએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થાનિક ગામની એક યુવતી ત્રણ મહિનાથી ગુમ હતી,તેથી આ  ઘટનામાં સ્થાનિક યુવતી જ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે,પરંતુ ચોક્કસ તપાસ બાદ જ અંતિમ નિર્ણય લઈને કહી શકાય કે સ્થાનિક યુવતી જ છે કે અન્ય કોઈ?પોલીસ દ્વારા હાલ આ ઘટનાનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: ઉટિયાદરા ગામેથી રૂ.3 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વધુ 2 આરોપીની ધરપકડ

અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા

New Update
અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વધુ બે આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.
ગત તારીખ-3જી મેના રોજ કોસંબાના બુટલેગર જીજ્ઞેશ કૌશિક પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1664 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 3 લાખનો દારૂ અને ફોન તેમજ રોકડા મળી કુલ 4.06 લાખના મુદ્દામાલ સાથે જીજ્ઞેશ પટેલને ઝડપી પાડ્યો હતો.
જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.તે દરમિયાન પોલીસે 10 પૈકી અગાઉ 3 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ ઝનોર ગામના સોનેરી ટેકરીમાં રહેતો શશીકાંત ઉર્ફે શશી કાંતિલાલ વસાવા અને રાકેશ ઉર્ફે ગફુર જીતુ જોશીને અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: ગુજરાતમાં વસતા બિહારી સમાજને NDA તરફ વાળવા પ્રયાસ, ભાજપે મુલાકાતોનો દૌર શરૂ કર્યો !

બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો લોકો સાથે મુલાકાત કરી

New Update
  • બિહાર વિદ્યાસભાની ચૂંટણીની તૈયારી

  • અંકલેશ્વરમાં ભાજપની બેઠક યોજાઇ

  • બિહારના MP ધર્મશીલા ગુપ્તા રહ્યા ઉપસ્થિત

  • બિહારીઓને NDA તરફી મતદાન કરવા અપીલ કરાય

  • NDAની પ્રચંડ જીતનો દાવો કરાયો

Advertisment
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બિહાર રાજ્ય સભાના મહિલા સાંસદ ધર્મશીલા ગુપ્તાએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.
આગામી સમયમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર સ્થાપના દિવસની ઉજવણી બાદ હવે બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો લોકો સાથે મુલાકાત કરી હતી.
અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર બિહારી સમાજના સભ્યો સાથે તેઓએ મુલાકાત કરી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે અન્ય ભાષાભાસી સેલ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અશોક ઝા,પપ્પુ સિંગ, અને અનિલ શુકલા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બિહાર રાજ્યસભાના સાંસદ ધર્મશીલા ગુપ્તાએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આર.જે.ડી.નું ખાતું પણ નહીં ખુલે એવો હુંકાર કર્યો હતો અને એન.ડી.એ.ની પ્રચંડ જીતનો દાવો કર્યો હતો.
Advertisment