અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2024 દરમ્યાન નવલા નોરતામાં જાણીતા ગીતકાર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

New Update

ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વમાં માઇભક્તો જોડાયા

જાણીતા ગીતકાર પ્રિયાંશ શાહ રહ્યા વિશેષ ઉપસ્થિત

પ્રિયાંશ શાહે સુમધુર કંઠે ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2024 દરમ્યાન નવલા નોરતામાં જાણીતા ગીતકાર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ખૂબ થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના સભ્યો દ્વારા ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચોથા નોરતે ગુજરાતના જાણીતા ગીતકાર, મ્યુઝીક કમ્પોઝર અને પ્રોડ્યુસર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રિયાંશ શાહે પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો
છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતાથી અહીં ખેલૈયાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી દરમ્યાન શ્રેષ્ઠ ખેલૈયાઓને રોજેરોજ ભેટ આપી સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવની કનેક્ટ ગુજરાત ટીવી ચેનલની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સાથે વિશેષ વાતચીત કરવામાં આવી હતી.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.