અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2024 દરમ્યાન નવલા નોરતામાં જાણીતા ગીતકાર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

New Update

ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વમાં માઇભક્તો જોડાયા

જાણીતા ગીતકાર પ્રિયાંશ શાહ રહ્યા વિશેષ ઉપસ્થિત

પ્રિયાંશ શાહે સુમધુર કંઠે ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2024 દરમ્યાન નવલા નોરતામાં જાણીતા ગીતકાર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ખૂબ થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના સભ્યો દ્વારા ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચોથા નોરતે ગુજરાતના જાણીતા ગીતકાર, મ્યુઝીક કમ્પોઝર અને પ્રોડ્યુસર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રિયાંશ શાહે પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો
છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતાથી અહીં ખેલૈયાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી દરમ્યાન શ્રેષ્ઠ ખેલૈયાઓને રોજેરોજ ભેટ આપી સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવની કનેક્ટ ગુજરાત ટીવી ચેનલની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સાથે વિશેષ વાતચીત કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.