અંકલેશ્વર: હવામહેલ નજીક કેબિનમાં ગૌ માંસનું વેચાણ કરનાર ખાટકીની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં ગૌ માસનું વેચાણ કરતા ખાટકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
a

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં ગૌ માસનું વેચાણ કરતા ખાટકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં રફીક ફકીર મોહમંદ કુરેશી ગૌ માસનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી અઢી કિલોથી વધુ માસ પકડી પાડી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો ખાટકી રફીક ફકીર મોહમંદ કુરેશીની પુછપરછ કરતા તે ગૌ માસ હોવાનું જણાવ્યું હતુ.પોલીસે અંકલેશ્વરના વેટેનરી તબીબ મારફતે શંકાસ્પદ ગૌ માસના સેમ્પલ લઇ એફ.એસ.એલ માટે મોકલી આપ્યા હતા જે બાદ આ શંકાસ્પદ માસ ગૌ માસ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે ગૌ માસનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories
Read the Next Article

ભરૂચ : વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોડાયા,730 હેકટરથી વધુ પિયત કપાસનું કરાયું વાવતેર

ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.

New Update
  • ચોમાસાની શરૂઆતથી ખેડૂતોમાં ખુશી

  • પિયત કપાસનું વાવેતર કરાયું શરૂ

  • 730 હેક્ટરમાં કપાસનું વાવેતર

  • હાંસોટમાં 150 હેક્ટરમાં કરાયું વાવેતર

  • કપાસ અને તુવેર સહિતના પાકની વાવણી   

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ ખરીફ વાવેતરની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 730 હેક્ટરથી વધુ વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી ચોમાસુ વાવેતરની શરૂઆત થાય છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સૌ પ્રથમ કપાસનું વાવેતર કરે છે. ગત વર્ષે જૂનના બે સપ્તાહમાં 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.જોકે બે સપ્તાહ મળીને 730 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાવેતર હાંસોટ તાલુકામાં 150 હેક્ટર વિસ્તારમાં થયું છે. વાગરા અને વાલિયા તાલુકામાં હજુ વાવેતરની શરૂઆત થઈ નથી. જૂન મહિનાના અંત સુધીમાં 5 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબવરસાદને કારણે ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. કપાસ અને તુવેર જેવા પાકની વાવણી ચાલુ છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પ્રથમ વાવેતર નિષ્ફળ ગયું હતું. આ વર્ષે સારો વરસાદ અને યોગ્ય વરાપ મળે તો સારા પાકની આશા છે. આખી સિઝનમાં 30 ઇંચ જેટલો વરસાદ પડે તો સારો પાક થઈ શકે છે.

Latest Stories