અંકલેશ્વર: જંગલના સીમાડા ઓળંગી દીપડા શહેરમાં પ્રવેશ્યા, ગૌતમપાર્કમાં દીપડો દેખાતા ફફડાટ

અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા સ્કૂલ નજીકની ગૌતમ પાર્ક સોસાયટીમાં 10 થી 15 દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે. વન વિભાગને જાણ કરતા પાંજરું મૂક્યું છે. હવે તો દિપડો સોસાયટીની અંદર સુધી આવી ગયો છે..

New Update
અંકલેશ્વરના ગામડાઓ બાદ હવે શહેર સુધી દિપડાઓ આવી ગયાં હોવાથી લોકો ભયભીત બન્યાં છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર તાલુકાના નેશનલ હાઇવે તથા નર્મદા નદીના કિનારે આવેલાં ગામડાઓમાં દિપડાઓના આંટાફેરા વધ્યાં છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા સ્કૂલ નજીકની ગૌતમ પાર્ક સોસાયટીમાં 10 થી 15 દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે.
વન વિભાગને જાણ કરતા પાંજરું મૂક્યું છે. હવે તો દિપડો સોસાયટીની અંદર સુધી આવી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોઇ વખત રાત્રિના 9.30 વાગ્યા પછી તો કોઇ વખત વહેલી સવારે દિપડો જોવા મળી રહયો છે. હાલ સોસાયટીનો માહોલ એવો છે કે રાત્રિના 9 વાગ્યા પછી લોકો ઘરોની બહાર નીકળતાં ગભરાઇ રહયાં છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.