અંકલેશ્વર: જંગલના સીમાડા ઓળંગી દીપડા શહેરમાં પ્રવેશ્યા, ગૌતમપાર્કમાં દીપડો દેખાતા ફફડાટ

અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા સ્કૂલ નજીકની ગૌતમ પાર્ક સોસાયટીમાં 10 થી 15 દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે. વન વિભાગને જાણ કરતા પાંજરું મૂક્યું છે. હવે તો દિપડો સોસાયટીની અંદર સુધી આવી ગયો છે..

New Update
અંકલેશ્વરના ગામડાઓ બાદ હવે શહેર સુધી દિપડાઓ આવી ગયાં હોવાથી લોકો ભયભીત બન્યાં છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર તાલુકાના નેશનલ હાઇવે તથા નર્મદા નદીના કિનારે આવેલાં ગામડાઓમાં દિપડાઓના આંટાફેરા વધ્યાં છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા સ્કૂલ નજીકની ગૌતમ પાર્ક સોસાયટીમાં 10 થી 15 દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે.
વન વિભાગને જાણ કરતા પાંજરું મૂક્યું છે. હવે તો દિપડો સોસાયટીની અંદર સુધી આવી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોઇ વખત રાત્રિના 9.30 વાગ્યા પછી તો કોઇ વખત વહેલી સવારે દિપડો જોવા મળી રહયો છે. હાલ સોસાયટીનો માહોલ એવો છે કે રાત્રિના 9 વાગ્યા પછી લોકો ઘરોની બહાર નીકળતાં ગભરાઇ રહયાં છે.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.