અંકલેશ્વર: એશિયાડ નગર નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટ તૂટી પડી,પાણી પી રહેલ માસુમ બાળકીનું મોત

અંકલેશ્વરના એશિયાડ નગર નજીક નિર્માણ પામી રહેલ શોપિંગ સેન્ટરના પાંચમાં માળેથી લીફ્ટમાંથી ટ્રોલી પાણી પીતી બાળકી ઉપર  પડતા સારવાર મળે તે પહેલા જ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું

New Update

અંકલેશ્વરમાં સર્જાય દુર્ઘટના

એશિયાડ નગર નજીક સર્જાય દુર્ઘટના

કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટ તૂટી પડી

નીચે પાણી પી રહેલ બાળકીનું મોત

શહેર પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના એશિયાડ નગર નજીક નિર્માણ પામી રહેલ શોપિંગ સેન્ટરના પાંચમાં માળેથી લીફ્ટમાંથી ટ્રોલી પાણી પીતી બાળકી ઉપર  પડતા સારવાર મળે તે પહેલા જ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું
મૂળ મધ્ય પ્રદેશના જાંબુઆ જીલ્લાના નારદા પોસ્ટ ખેડા થાનાના કલ્યાણપુરા ગામના મોવાડા ફળિયામાં રહેતા બહાદુર કમજી મેડા પોતાના પરિવાર સાથે અંકલેશ્વરના એશિયાડ નગરમાં નવા શોપિંગ સેન્ટર પાસે રહે છે નવા શોપિંગ સેન્ટરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.તે દરમિયાન ખાલી ટ્રોલી લીફ્ટમાં ચઢાવવા આવી રહી હતી આ સમયે ટ્રોલી અચાનક નીચે તૂટી પડતા નીચે પાણી પી રહેલ ૯ વર્ષીય મનીષા મેડાના માથા ઉપર ટ્રોલી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબે તેણીને તપાસી મૃત જાહેર કરી હતી.બનાવ અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment