અંકલેશ્વર: એશિયાડ નગર નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટ તૂટી પડી,પાણી પી રહેલ માસુમ બાળકીનું મોત

અંકલેશ્વરના એશિયાડ નગર નજીક નિર્માણ પામી રહેલ શોપિંગ સેન્ટરના પાંચમાં માળેથી લીફ્ટમાંથી ટ્રોલી પાણી પીતી બાળકી ઉપર  પડતા સારવાર મળે તે પહેલા જ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું

New Update

અંકલેશ્વરમાં સર્જાય દુર્ઘટના

એશિયાડ નગર નજીક સર્જાય દુર્ઘટના

કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટ તૂટી પડી

નીચે પાણી પી રહેલ બાળકીનું મોત

શહેર પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના એશિયાડ નગર નજીક નિર્માણ પામી રહેલ શોપિંગ સેન્ટરના પાંચમાં માળેથી લીફ્ટમાંથી ટ્રોલી પાણી પીતી બાળકી ઉપર  પડતા સારવાર મળે તે પહેલા જ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું
મૂળ મધ્ય પ્રદેશના જાંબુઆ જીલ્લાના નારદા પોસ્ટ ખેડા થાનાના કલ્યાણપુરા ગામના મોવાડા ફળિયામાં રહેતા બહાદુર કમજી મેડા પોતાના પરિવાર સાથે અંકલેશ્વરના એશિયાડ નગરમાં નવા શોપિંગ સેન્ટર પાસે રહે છે નવા શોપિંગ સેન્ટરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.તે દરમિયાન ખાલી ટ્રોલી લીફ્ટમાં ચઢાવવા આવી રહી હતી આ સમયે ટ્રોલી અચાનક નીચે તૂટી પડતા નીચે પાણી પી રહેલ ૯ વર્ષીય મનીષા મેડાના માથા ઉપર ટ્રોલી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબે તેણીને તપાસી મૃત જાહેર કરી હતી.બનાવ અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.