ભરૂચ: આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો,પોલીસે લીધી ડ્રોન કેમરાની મદદ

આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું

New Update
  • ભરૂચના આમોદમાં બન્યો હતો ચકચારી બનાવ

  • 72 વર્ષીય વૃદ્ધા સાથે આચરાયું દુષ્કર્મ

  • નરાધમની પોલીસે ગણતરીના સમયમાં કરી ધરપકડ

  • પોલીસે આરોપીને પકડવા ડ્રોન કેમેરાની મદદ લીધી

  • દોઢ વર્ષ અગાઉ પણ આચર્યું હતું દુષ્કર્મ

ભરૂચના આમોદ તાલુકાના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેમાં પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મના મામલા બાદ આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું.આ અંગેની જાણ આમોદ પોલીસને થતા પોલીસે નરાધમ સામે દુષ્કર્મ તેમજ ધાકધમકી આપવાનો ગુનો દાખલ કર્યો હતો.
આ તપાસમાં સ્થાનિક પોલીસ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ત્યારે આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી શૈલેષ રાઠોડ નજીકના કેરવાડા ગામની સીમમાં ફરી રહ્યો છે.જેના આધારે તેને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નારાધમ આરોપીએ આજથી દોઢ વર્ષ પૂર્વે આજ વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી.હાલ આરોપી થોડા દિવસ અગાઉ જ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો ત્યારે ફરીવાર તેણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના જૂની તરસાલી ગામે નર્મદા નદીમાં પલક ઝપકતા જ મગરે કર્યો શ્વાનનો શિકાર, વિડીયો થયો વાયરલ

ભરૂચના ઝઘડિયાના જૂને તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

New Update
mgr ncue

ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાં મગરનો વસવાટ જોવા મળે છે ત્યારે મગરના આતંકનો વિડીયો સામે આવ્યો છે.

Advertisment

ભરૂચના ઝઘડિયાના જૂને તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જૂની તરસાલી ગામે નર્મદા નદી કિનારે બે શ્વાન રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ નદીમાંથી આવી ચઢેલ મગર બે પૈકી એક શ્વાનને અંદર ખેંચી ગયું હતું અને શિકાર કર્યો હતો.આ ઘટનાના પગલે ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.આ અગાઉ પણ ઝઘડિયા પંથકમાં અનેક વાર મગરના હુમલાના બનાવો સામે આવ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.