ભરૂચ: આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો,પોલીસે લીધી ડ્રોન કેમરાની મદદ

આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું

New Update
  • ભરૂચના આમોદમાં બન્યો હતો ચકચારી બનાવ

  • 72 વર્ષીય વૃદ્ધા સાથે આચરાયું દુષ્કર્મ

  • નરાધમની પોલીસે ગણતરીના સમયમાં કરી ધરપકડ

  • પોલીસે આરોપીને પકડવા ડ્રોન કેમેરાની મદદ લીધી

  • દોઢ વર્ષ અગાઉ પણ આચર્યું હતું દુષ્કર્મ

Advertisment
ભરૂચના આમોદ તાલુકાના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેમાં પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મના મામલા બાદ આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું.આ અંગેની જાણ આમોદ પોલીસને થતા પોલીસે નરાધમ સામે દુષ્કર્મ તેમજ ધાકધમકી આપવાનો ગુનો દાખલ કર્યો હતો.
આ તપાસમાં સ્થાનિક પોલીસ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ત્યારે આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી શૈલેષ રાઠોડ નજીકના કેરવાડા ગામની સીમમાં ફરી રહ્યો છે.જેના આધારે તેને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisment
નારાધમ આરોપીએ આજથી દોઢ વર્ષ પૂર્વે આજ વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી.હાલ આરોપી થોડા દિવસ અગાઉ જ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો ત્યારે ફરીવાર તેણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment