અંકલેશ્વર–સેલવાસ એક્સપ્રેસ રૂટ પર નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ

ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવવામાં આવી....

New Update
stbus

ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવાતા આજે રવિવારે અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વરસેલવાસ(ગુર્જર નગરી ) એક્સપ્રેસ રૂટ પર નવીન બસને ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી આપી નિયત રૂટ પર રવાના કરી હતી.

ishwar patel

આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કેઆદિજાતિ વસ્તી ધરાવતા તાલુકાઓને ગત તારીખ 15મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેડિયાપાડા ખાતેથી બિરસામુંડા પરિવહન અંતર્ગત 250 જેટલી નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું હતું. જેથી આદિવાસી સમાજના બાળકો - દીકરીઓ શાળાએ સરળતાથી પહોંચી શકે. સાથે એક્સપ્રેસ રૂટની બસો મુસાફરોની સવારીને વધુ સલામત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

st bus

અત્રે ઉલ્લેખનીય છે કેબિરસામુંડા પરિવહન અંતર્ગત અંકલેશ્વર ડેપોને ફાળવાયેલી ત્રણ બસોનું સંચાલન અંકલેશ્વર - ધંતુરિયાઅંકલેશ્વર - માલસામોટ અને અંકલેશ્વર - ભમાડિયા રૂટ પર સંચાલન કરવામાં આવી રહ્યું છે. જે ગામડાના વિદ્યાર્થીઓને શાળા - કોલેજમાં અભ્યાસ અર્થે પહોંચવામાં તથા અન્ય મુસાફરોને તાલુકા મથક સુધી પહોંચવામાં વધુ ઉપયોગીસલામત અને સગવડયુક્ત બની રહેશે.

આ પ્રસંગે વિભાગીય યાંત્રિક ઇજનેર જી. કે. પટેલઅંકલેશ્વર ડેપો મેનેજર જે.બી.ગાવિતભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાકર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories