અંકલેશ્વર : જુના ને.હા.નં 8 પાસેની જર્જરિત જોખમી સાંઈ ગોલ્ડન ઇમારતને ઉતારી લેવા માટે પાલિકામાં રજુઆત કરતા નગર સેવક

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પાસેની અને નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવતી સાંઈ ગોલ્ડન નજીક બહુમાળી ઇમારત જોખમી બની જતા રફીક ઝઘડિયાવાલાએ ઇમારત ઉતારી લેવા કરી માંગ

author-image
By Connect Gujarat Desk
New Update
  • સાંઈ ગોલ્ડન જર્જરિત ઇમારતનો મામલો

  • પાલિકાના વોર્ડ નં.4ની હદમાં આવી છે ઇમારત

  • વોર્ડ 4ના સભ્ય દ્વારા કરાઈ પાલિકામાં રજૂઆત

  • રફીક ઝઘડિયાવાલાએ ઇમારત ઉતારી લેવા કરી માંગ

  • પાલિકાતંત્રએ અગાઉ વીજ કનેક્શન કર્યા હતા દૂર  

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પાસેની સાંઈ ગોલ્ડન ઇમારત અત્યંત જર્જરિત થઇ છે,આ જોખમી ઇમારતને ઉતારી લેવા માટે નગરપાલિકાના સભ્ય રફીક ઝઘડિયાવાલા દ્વારા પાલિકાતંત્રમાં રજૂઆત કરવામાં આવી છે.

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પાસેની અને નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવતી સાંઈ ગોલ્ડન નજીક બહુમાળી ઇમારત જોખમી બની ગઈ છે.જે અંગે નગરપાલિકાના વોર્ડ નંબર 4ના સભ્ય રફીક ઝઘડિયાવાલા દ્વારા પાલિકાતંત્રમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.તેઓએ જણાવ્યું હતું કે આ ઇમારત અંગે અગાઉ પણ પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી,ત્યારે નગરપાલિકા દ્વારા આ ઇમારતમાં રહેતા રહીશોના વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા,પરંતુ ત્યાર બાદ કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

ત્યારે રફીક ઝઘડિયાવાલા દ્વારા જર્જરિત સાંઈ ગોલ્ડન જોખમી ઇમારતને ત્વરિત ઉતારી લેવા માટે નગરપાલિકા સહિત ભરૂચ જિલ્લા કલેકટર સુધી લેખિતમાં રજૂઆત કરી છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.