નર્મદા ડેમનું જળસ્તર 137.11 મીટરે, ભરૂચ ગોલ્ડન બ્રિજની જળસપાટી વોર્નિંગ લેવલને સ્પર્શી

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેના સરદાર સરોવર ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે, અને ડેમનું જળસ્તર હાલમાં 137.11 મીટર હોવાનું જાણવા મળ્યું છે

New Update

સરદાર સરોવર નર્મદા ડેમ છલકાશે

ડેમ સંપૂર્ણ ભરાવામાં માત્ર 1.57 મીટર જ દૂર

ડેમની જળસપાટી 137.11 મીટરે પહોંચી

ડેમમાંથી 2.94 લાખ ક્યુસેક પાણીની જાવક 

ગોલ્ડન બ્રિજની જળસપાટી વોર્નિગ લેવલને સ્પર્શી 

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેના સરદાર સરોવર ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે, અને ડેમનું જળસ્તર હાલમાં 137.11 મીટર હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી પણ હાલમાં વોર્નિંગ લેવલને સ્પર્શી છે. 
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 137.11 મીટરની સપાટીએ પહોંચ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3 લાખ 46 હજાર 582 ક્યુસેક પાણીની આવક છે. તો ડેમમાંથી કુલ 2 લાખ 94 હજાર 332 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી 137.11 મીટર પહોંચતા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી પહોંચવામાં માત્ર 1.57 મીટર દૂર છે.જ્યારે નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા 2 લાખ 94 હજાર 332 ક્યુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં પણ વધારો થયો  છે.ભરૂચ પુર નિયંત્રણ કક્ષમાંથી જાણવા મળ્યા મુજબ આજે સાંજે 4 કલાક સુધીમાં નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળસપાટી 21.25 ફૂટે સ્થિર જોવા મળી રહી છે,અને વહીવટી તંત્ર પણ સાબદુ થઇ ગયું છે. 
Read the Next Article

અંકલેશ્વર : મેઘરાજાના ગાજવીજ સાથે આગમન બાદ મહાવીર ટર્નીંગથી લઈને વાલિયા ચોકડી સુધી સર્જાયો ટ્રાફિક

અંકલેશ્વરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે.ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા,

New Update
  • અંકલેશ્વરમાં વરસાદી માહોલ જામ્યો

  • ચોમાસાની વિધિવત શરૂઆત

  • કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા

  • વરસાદ સાથે ટ્રાફિકની સમસ્યા સર્જાય

  • મહાવીર ટર્નીંગથી વાલિયા ચોકડી સુધી સર્જાયો ટ્રાફિક  

અંકલેશ્વરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે.ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા,જ્યારે ટ્રાફિક જામથી પણ વાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા.

અંકલેશ્વર પંથકમાં સોમવારની બપોરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી,ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી.વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી,જેના કારણે લોકોએ બફારાથી રાહત મેળવી હતી,જોકે એક તરફ જ્યાં વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ મહાવીર ટર્નીંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી,અને વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

વાલિયા ચોકડી વાહનોની અવરજવરથી સતત ધમધમે છે.પરંતુ વાહન ચાલકોની વધુ પડતી ઉતાવળ અને ચોકડી પરથી હેલા નીકળી જવાની જીદના કારણે પણ વાહનો આડા અવળા ઘુસી જવાના કારણે ટ્રાફિક જામ સર્જાય રહ્યો હોવાનું વાહન ચાલકો કહી રહ્યા છે.અને સર્જાતો ચક્કાજામ પોલીસ માટે પણ સરદર્દ સમાન બની રહ્યો છે.