નર્મદા ડેમનું જળસ્તર 137.11 મીટરે, ભરૂચ ગોલ્ડન બ્રિજની જળસપાટી વોર્નિંગ લેવલને સ્પર્શી

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેના સરદાર સરોવર ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે, અને ડેમનું જળસ્તર હાલમાં 137.11 મીટર હોવાનું જાણવા મળ્યું છે

New Update

સરદાર સરોવર નર્મદા ડેમ છલકાશે

ડેમ સંપૂર્ણ ભરાવામાં માત્ર 1.57 મીટર જ દૂર

ડેમની જળસપાટી 137.11 મીટરે પહોંચી

ડેમમાંથી 2.94 લાખ ક્યુસેક પાણીની જાવક 

ગોલ્ડન બ્રિજની જળસપાટી વોર્નિગ લેવલને સ્પર્શી 

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેના સરદાર સરોવર ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે, અને ડેમનું જળસ્તર હાલમાં 137.11 મીટર હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી પણ હાલમાં વોર્નિંગ લેવલને સ્પર્શી છે. 
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 137.11 મીટરની સપાટીએ પહોંચ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3 લાખ 46 હજાર 582 ક્યુસેક પાણીની આવક છે. તો ડેમમાંથી કુલ 2 લાખ 94 હજાર 332 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી 137.11 મીટર પહોંચતા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી પહોંચવામાં માત્ર 1.57 મીટર દૂર છે.જ્યારે નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા 2 લાખ 94 હજાર 332 ક્યુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં પણ વધારો થયો  છે.ભરૂચ પુર નિયંત્રણ કક્ષમાંથી જાણવા મળ્યા મુજબ આજે સાંજે 4 કલાક સુધીમાં નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળસપાટી 21.25 ફૂટે સ્થિર જોવા મળી રહી છે,અને વહીવટી તંત્ર પણ સાબદુ થઇ ગયું છે. 
Advertisment
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment