અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન-લોક દરબાર યોજાયો, ચિલ્ડ્રનરૂમનું પણ કરાયુ લોકાર્પણ

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ

New Update

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં યોજાયો કાર્યક્રમ

એસ.પી.મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન

લોક દરબાર પણ યોજાયો

ચિલ્ડ્રનરૂમનું કરાયુ ઉદ્ઘાટન

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં એસ.પી. મયુર ચાવડાએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ સહિતની કામગીરી માટે આવતા અરજદારોના બાળકો માટે ચિલ્ડ્રનરૂમ તૈયાર કરવામાં આવ્યો છે જેનું એસ.પી.મયુર ચાવડાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ બાદ પોલીસ મથકમાં લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ ગામના લોકોના પ્રશ્નો પોલીસ અધિકારીઓએ સાંભળ્યા હતા અને તેનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.સદર કાર્યક્રમમાં પી.આઈ.બી.એન સગર તેમજ તાલુકા પોલીસ મથકના પી.આઇ.સીસોદીયા, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ:ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું કરાયુ આયોજન

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભોલાવ વિસ્તારમાં આયોજન કરાયું

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કાર્યક્રમ

  • સ્મૃતિસભાનું આયોજન કરાયુ

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવના નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ  ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના  યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમનો ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડૉ. મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો.