ભરૂચ:ભાડભુત બેરેજ યોજનામાં સરકારની જમીન સંપાદનની નીતિનો વિરોધ,ખેડૂતોએ કલેકટરને પાઠવ્યુ આવેદનપત્ર

અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ શુક્રવારે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામનો જમીન સંપાદનનો કોયદો હલ થવાનું નામ લેતો નથી

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાનો વિરોધ

  • ખેડૂતોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

  • સરકારે બહાર પાડેલ જાહેરનામું જ ખોટું હોવાની રજુઆત

  • નવું જાહેરનામું બહાર પાડવા માંગ કરાય

  • નવી જંત્રી ન આપવી પડે માટે 2020માં જાહેરનામું બહાર પાડ્યું હોવાનો આક્ષેપ

ભરૂચમાં પ્રધાનમંત્રીના મહત્વકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેકટમાં અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ શુક્રવારે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામનો જમીન સંપાદનનો કોયદો હલ થવાનું નામ લેતો નથી. શુક્રવારે બોરભાઠા, બોરભાઠા બેટ, સરફુદ્દીન, શક્કરપોર, તરીયા અને ધંતુરિયા ગામના 700 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ 2020 માં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનો સુર વ્યક્ત કર્યો છે.
અસરગ્રસ્ત ખેડૂતોએ કલેકટરને આપેલા આવેદનમાં 855 હેકટર સંપાદિત જમીનનું 2013 ની કલમો મુજબ જાહેરનામુ ખોટું હોવાનો આરોપ લગાવાયો છે. સાથે જ રાજ્ય સરકાર પર આરોપ મુકાયો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે 2020માં જાહેરનામુ જારી કર્યું. જ્યારે ખરેખર જમીનની જરૂર 2025 માં હતી.
પાંચ વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે. વર્ષે આંતર પાક લઈ ₹4 લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર 36 રૂપિયા અન્યાયી હોય એક પણ ખેડૂત પોતાની જમીન આપે નહિનો હુંકાર કરાયો છે. 
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.