ભરૂચ:ભાડભુત બેરેજ યોજનામાં સરકારની જમીન સંપાદનની નીતિનો વિરોધ,ખેડૂતોએ કલેકટરને પાઠવ્યુ આવેદનપત્ર

અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ શુક્રવારે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામનો જમીન સંપાદનનો કોયદો હલ થવાનું નામ લેતો નથી

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાનો વિરોધ

  • ખેડૂતોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

  • સરકારે બહાર પાડેલ જાહેરનામું જ ખોટું હોવાની રજુઆત

  • નવું જાહેરનામું બહાર પાડવા માંગ કરાય

  • નવી જંત્રી ન આપવી પડે માટે 2020માં જાહેરનામું બહાર પાડ્યું હોવાનો આક્ષેપ

Advertisment
ભરૂચમાં પ્રધાનમંત્રીના મહત્વકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેકટમાં અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ શુક્રવારે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામનો જમીન સંપાદનનો કોયદો હલ થવાનું નામ લેતો નથી. શુક્રવારે બોરભાઠા, બોરભાઠા બેટ, સરફુદ્દીન, શક્કરપોર, તરીયા અને ધંતુરિયા ગામના 700 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ 2020 માં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનો સુર વ્યક્ત કર્યો છે.
અસરગ્રસ્ત ખેડૂતોએ કલેકટરને આપેલા આવેદનમાં 855 હેકટર સંપાદિત જમીનનું 2013 ની કલમો મુજબ જાહેરનામુ ખોટું હોવાનો આરોપ લગાવાયો છે. સાથે જ રાજ્ય સરકાર પર આરોપ મુકાયો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે 2020માં જાહેરનામુ જારી કર્યું. જ્યારે ખરેખર જમીનની જરૂર 2025 માં હતી.
પાંચ વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે. વર્ષે આંતર પાક લઈ ₹4 લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર 36 રૂપિયા અન્યાયી હોય એક પણ ખેડૂત પોતાની જમીન આપે નહિનો હુંકાર કરાયો છે. 
Latest Stories