અંકલેશ્વર:સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં યુવાનોને માર મરાતો વિડીયો વાયરલ થવાનો મામલો,પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ

સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બે યુવાનોને માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે ચાર સગીર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • 2 યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો

  • વિડીયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી

  • 7 આરોપીઓની પોલીસે કરી અટકાયત

  • સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં બન્યો હતો બનાવ

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બે યુવાનોને માર મરાતો હોવાનો વિડીયો થવાના મામલામાં પોલીસે ચાર સગીર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પર આવેલ સિગ્નેચર ગેલેરીયા શોપીંગ સેન્ટરમાં ગત 14મી ફેબ્રુઆરીના રોજ સાંજે બે યુવાનોને ટોળા દ્વારા માર મરાતો હોવાનો  વિડીયો વાયરલ થયો હતો. આ અંગે ડી માર્ટ નજીક આવેલ  રામદેવ નગરમાં રહેતા ભૂમિત સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તે અને તેનો મિત્ર પરેશ શોપીંગ સેન્ટર ખાતેથી પસાર થઇ રહ્યા તે દરમિયાન કેટલાક ઈસમો કેક એક બીજા પર નાખી રમી રહ્યા હતા.
આ દરમિયાન કેક ભૂમિત પર પડતા તેણે આ બાબતે ઠપકો આપતા 7 જેટલા ઈસમોએ તેને અને તેના મિત્રને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલોસે આ મામલામાં અંસાર માર્કેટમાં રહેતા અરમાન એહમદ કુરેશી, સોનુ અલી મોહરમ અલી ઇબ્રાહિમ અલી ચૌધરી અને અરબાજ ખાન હારુન ખાન હલીમ ખાન તેમજ સગીર વયના અન્ય 4 બાળકોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.