અંકલેશ્વર:સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં યુવાનોને માર મરાતો વિડીયો વાયરલ થવાનો મામલો,પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ

સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બે યુવાનોને માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે ચાર સગીર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • 2 યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો

  • વિડીયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી

  • 7 આરોપીઓની પોલીસે કરી અટકાયત

  • સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં બન્યો હતો બનાવ

Advertisment
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બે યુવાનોને માર મરાતો હોવાનો વિડીયો થવાના મામલામાં પોલીસે ચાર સગીર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પર આવેલ સિગ્નેચર ગેલેરીયા શોપીંગ સેન્ટરમાં ગત 14મી ફેબ્રુઆરીના રોજ સાંજે બે યુવાનોને ટોળા દ્વારા માર મરાતો હોવાનો  વિડીયો વાયરલ થયો હતો. આ અંગે ડી માર્ટ નજીક આવેલ  રામદેવ નગરમાં રહેતા ભૂમિત સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તે અને તેનો મિત્ર પરેશ શોપીંગ સેન્ટર ખાતેથી પસાર થઇ રહ્યા તે દરમિયાન કેટલાક ઈસમો કેક એક બીજા પર નાખી રમી રહ્યા હતા.
આ દરમિયાન કેક ભૂમિત પર પડતા તેણે આ બાબતે ઠપકો આપતા 7 જેટલા ઈસમોએ તેને અને તેના મિત્રને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલોસે આ મામલામાં અંસાર માર્કેટમાં રહેતા અરમાન એહમદ કુરેશી, સોનુ અલી મોહરમ અલી ઇબ્રાહિમ અલી ચૌધરી અને અરબાજ ખાન હારુન ખાન હલીમ ખાન તેમજ સગીર વયના અન્ય 4 બાળકોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment