ભરૂચ: જમીન સસ્તા ભાવે ખરીદાવી મોટા નફા સાથે વેચવાની લાલચ આપી છેતરપીંડી આચરનાર ઠગ ટોળકીના સાગરીતની પોલીસે કરી ધરપકડ

જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગતી ટોળકીના સાગરિતને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો

New Update
fraud Accused Arrest
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગતી ટોળકીના સાગરિતને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી સી.કે.પટેલ દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સ્પેશીયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
સ્પેશીયલ ડ્રાઇવ અંતર્ગત શહેર એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ વી.યુ.ગડરીયાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના જમીન સસ્તા ભાવે ખરીદ કરાવી ધાર્મિક સંપ્રદાયને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગતી ટોળકીનો સાગરિત ભરત મનજી ગઢાદરા ઉર્ફે ભરત મનજી પટેલ ઉર્ફે દર્શન શાહ ઉર્ફે સ્નેહલ મોરડીયા હાલ વડોદરા આજવા ચોકડી ખાતે હાજર છે.
જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આજવા ચોકડી પાસે પામ પેરેડાઇઝ કોમ્પલેક્ષમાં રહેતો ભરત મોરડીયાને ઝડપી તેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઇસમ અલગ અલગ પોલીસ મથકના ૬ ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.