ભરૂચ : નબીપુરમાં ઈદ-એ-મિલાદ પર્વની તડામાર તૈયારી, રંગબેરંગી રોશનીથી સમગ્ર ગામ ઝળહળી ઉઠ્યું

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે, ઈદ-એ-મિલાદની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં તડામાર તૈયારીઓ સાથે રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું છે.

New Update

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર હઝરત મહમદ સાહેબ

પયગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી માટે તૈયારી

નબીપુર ગામમાં ઈદ-એ-મિલાદ પર્વની તડામાર તૈયારી

સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું

ઈદ-એ-મિલાદ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કેઈદ-એ-મિલાદની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં તડામાર તૈયારીઓ સાથે રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું છે.

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર હઝરત મહમદ સાહેબના જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદ-એ-મિલાદના સ્વરૂપે ઉજવે છે. જે અંતર્ગત ઈદ-એ-મિલાદનો પર્વ આગામી તા. 16 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવશેત્યારે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગેચંગે જોડાઈ ગયું છે. આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઈટોના ઝળહળાટ વચ્ચે રંગાઈ ગયું છે. ગામની તમામ મસ્જિદોદરગાહ શરીફને નબીપુર ડેકોરેસન કમિટી દ્વારા સજાવવામાં આવી છે. આ સાથે જ ગલી મહોલ્લા અને દરેક ઘર એક અજીબ ખુશીમાં રંગાઈ ગયા છે. ઈદ-એ-મિલાદના દિવસે સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છેઅને ગામમાં નિયાજનું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે. આ સાથે જ પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કેઈદ-એ-મિલાદની ખુશીના ભાગરૂપે સમગ્ર ગામમાં ઝુલુસનું આયોજન કરવામાં આવે છે.

Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.