ભરૂચ : નબીપુરમાં ઈદ-એ-મિલાદ પર્વની તડામાર તૈયારી, રંગબેરંગી રોશનીથી સમગ્ર ગામ ઝળહળી ઉઠ્યું

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે, ઈદ-એ-મિલાદની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં તડામાર તૈયારીઓ સાથે રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું છે.

New Update

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર હઝરત મહમદ સાહેબ

પયગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી માટે તૈયારી

નબીપુર ગામમાં ઈદ-એ-મિલાદ પર્વની તડામાર તૈયારી

સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું

ઈદ-એ-મિલાદ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કેઈદ-એ-મિલાદની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં તડામાર તૈયારીઓ સાથે રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું છે.

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર હઝરત મહમદ સાહેબના જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદ-એ-મિલાદના સ્વરૂપે ઉજવે છે. જે અંતર્ગત ઈદ-એ-મિલાદનો પર્વ આગામી તા. 16 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવશેત્યારે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગેચંગે જોડાઈ ગયું છે. આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઈટોના ઝળહળાટ વચ્ચે રંગાઈ ગયું છે. ગામની તમામ મસ્જિદોદરગાહ શરીફને નબીપુર ડેકોરેસન કમિટી દ્વારા સજાવવામાં આવી છે. આ સાથે જ ગલી મહોલ્લા અને દરેક ઘર એક અજીબ ખુશીમાં રંગાઈ ગયા છે. ઈદ-એ-મિલાદના દિવસે સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છેઅને ગામમાં નિયાજનું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે. આ સાથે જ પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કેઈદ-એ-મિલાદની ખુશીના ભાગરૂપે સમગ્ર ગામમાં ઝુલુસનું આયોજન કરવામાં આવે છે.

Latest Stories