ભરૂચ : નબીપુરમાં ઈદ-એ-મિલાદ પર્વની તડામાર તૈયારી, રંગબેરંગી રોશનીથી સમગ્ર ગામ ઝળહળી ઉઠ્યું

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે, ઈદ-એ-મિલાદની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં તડામાર તૈયારીઓ સાથે રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું છે.

New Update

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર હઝરત મહમદ સાહેબ

Advertisment

પયગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી માટે તૈયારી

નબીપુર ગામમાં ઈદ-એ-મિલાદ પર્વની તડામાર તૈયારી

સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું

ઈદ-એ-મિલાદ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કેઈદ-એ-મિલાદની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં તડામાર તૈયારીઓ સાથે રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું છે.

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર હઝરત મહમદ સાહેબના જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદ-એ-મિલાદના સ્વરૂપે ઉજવે છે. જે અંતર્ગત ઈદ-એ-મિલાદનો પર્વ આગામી તા. 16 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવશેત્યારે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગેચંગે જોડાઈ ગયું છે. આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઈટોના ઝળહળાટ વચ્ચે રંગાઈ ગયું છે. ગામની તમામ મસ્જિદોદરગાહ શરીફને નબીપુર ડેકોરેસન કમિટી દ્વારા સજાવવામાં આવી છે. આ સાથે જ ગલી મહોલ્લા અને દરેક ઘર એક અજીબ ખુશીમાં રંગાઈ ગયા છે. ઈદ-એ-મિલાદના દિવસે સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છેઅને ગામમાં નિયાજનું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે. આ સાથે જ પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કેઈદ-એ-મિલાદની ખુશીના ભાગરૂપે સમગ્ર ગામમાં ઝુલુસનું આયોજન કરવામાં આવે છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: મુંબઈથી ચોરી કરવા આવતા સસરા જમાઈ પૈકી જમાઈની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલાયો

ભરૂચ શહેર સુપર માર્કેટમાં આવેલ ફ્લેટના દરવાજાનો નકુચો તોડી ફલેટમાં પ્રવેશ કરી ફલેટમાંથી સોના ચાંદીની જણસો તથા રોકડ રૂપિયા દોઢ લાખ મળી કુલ.૧૨,૩૫,૦૦૦/- ની

New Update
IMG-20250521-WA0032

ભરૂચ શહેર સુપર માર્કેટમાં આવેલ ફ્લેટના દરવાજાનો નકુચો તોડી ફલેટમાં પ્રવેશ કરી ફલેટમાંથી સોના ચાંદીની જણસો તથા રોકડ રૂપિયા દોઢ લાખ મળી કુલ.૧૨,૩૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરી તારીખ 17 એપ્રિલના રોજ  અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.

Advertisment
આ અંગે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે ચોરી કરનાર બે ઇસમો પૈકી એક રાહુલ સિલ્વરાજ મુપનાર રહે.વિરારનો સંડોવાયેલ છે અને તે ફરી ભરૂચમાં આવનાર છે.પોલીસને મળેલી બાતમીમાં આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી રાહુલની એસ.ટી.ડેપો નજીકથી ધરપકડ કરી હતી.આરોપીની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે  તે અને તેના સસરા શિવા ધોત્રે ભંગારનો ધંધો કરતા હોય અને તે ચોરીઓ કરતા હોવાથી તેની સાથે હું પણ ચોરી કરતા શીખી ગયો હતો. સસરા-જમાઇએ ભેગા મળી ચોરીના અનેક ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. 
ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ શહેર "એ" ડીવીઝન પો.સ્ટે. ઘરફોડ ચોરી-૦૧ તથા વલસાડ ટાઉન પો.સ્ટે. ઘરફોડ ચોરી-૦૧ તથા વસઇ વિરાર જિલ્લાના વાલીવ પો.સ્ટે. મોટર સાઇકલ ચોરી-૦૧ મળી કુલ-૦૩ ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મેળવી છે જ્યારે  શિવા ચીનપ્પા ધોત્રે રહેવાસી ચક્કીનાણ કલ્યાણ મુળ રહેવાસી. ભાલકી ગામ કર્ણાટકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment