ભરૂચ: જંબુસરમાં અજગર નિકળવાનો સિલસિલો યથાવત, વધુ 2 અજગરનું રેસ્ક્યુ કરાયુ

ભરૂચના જંબુસરમાં પૂરના પાણી ઓસર્યા બાદ અજગર નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વધુ બે અજગરનુ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચના જંબુસરમાં પૂરના પાણી ઓસર્યા બાદ અજગર નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વધુ બે અજગરનુ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું

ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ વિવિધ વિસ્તારોમાંથી અજગર મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જંબુસરના કોરા ગામે રેલવે નાળાની નીચે માછલીની જાળમાં અજગર જોવા મળ્યો હતો જેની જાણ જીવદયા પ્રેમી દાનિશ સૈયદને કરાતા તેઓ તેમની ટીમ સાથે આવી પહોંચ્યા હતા અને અજગરનું રેક્યું કર્યું હતું. તો બીજી તરફ મગણાદ ગામે આવેલ કૃષ્ણ હોટલની સામેથી અન્ય એક અજગરનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જીવ દયા પ્રેમીઓએ બન્ને અજગરને પકડી તેઓને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.