ભરૂચ: મહંમદપુરાથી બાયપાસ ચોકડી સુધીના માર્ગનું નવીનીકરણ, પ્રમુખ સહિત હોદ્દેદારોએ કર્યું નિરીક્ષણ

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગર સેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તા યુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી

New Update
  • ભરૂચમાં માર્ગનું નવીનીકરણ

  • મહંમદપુરાથી બાયપાસ ચોકડી સુધીના માર્ગનું નિર્માણ

  • પ્રમુખ સહિતના હોદ્દેદારોએ કામગીરીનું કર્યું નિરીક્ષણ

  • કામની ગુણવત્તાની કરી ચકાસણી

  • વિપક્ષના સભ્યો પણ જોડાયા

ભરૂચ ના મોહમ્મદપુરા થી બાયપાસ ચોકડી સુધી ચાલી રહેલા માર્ગને કામગીરીનો નગરસેવા સદનના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી ગુણવત્તા યુક્ત થઈ રહી છે કે કેમ તે અંગેની ચકાસણી કરી હતી
ભરૂચમાં વિકાસના કામો થતા હોય છે અને તેમાંય ગુણવત્તા યુક્ત થાય છે કે કેમ તેની ચકાસણી થવી જરૂરી છે જેના ભાગરૂપે ભરૂર નગરપાલિકા દ્વારા મહંમદપુરાથી બાયપાસ ચોકડી સુધીના માર્ગ પર ચાલી રહેલ રીકાર્પેટીંગના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગર સેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તા યુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના મહંમદપુરાથી બાયપાસ ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વિપક્ષે ઉગ્ર રજૂઆત કરતા નગર સેવા સદન દ્વારા આ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છેમ જેના ભાગરૂપે કામની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુસર પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા માર્ગના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચમાં યોજાશે જનજાગૃતિ કાર્યક્રમ

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કરાશે ચર્ચા

  • આત્મીય હોલ ખાતે આયોજન

  • સમાજવિદ ડો.અનિલ પટેલ આપશે હાજરી

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “One Nation, One Election” જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને જોતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાશે.કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ ડૉ. અનિલ પટેલ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" વિષય પર  વિચારવિમર્શ રજૂ કરશે. દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હોટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  કિરણ મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સાથે  અનિષ પરીખ સહિત સંસ્થાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.