અંકલેશ્વર- ભરૂચને જોડતા માર્ગ પર સમારકામની કામગીરી, મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકી

અંકલેશ્વરથી ભરુચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update
  • અંકલેશ્વર ભરૂચને જોડતા માર્ગનું સમારકામ

  • સમારકામની કામગીરીના પગલે વાહનચાલકોને હાલાકી

  • મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાતાવરણ ધૂંધળું

  • વાહનચાલકોને મુશ્કેલી

  • પાણીનો છંટકાવ કરવામાં આવે એવી માંગ

અંકલેશ્વરથી ભરુચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર હાલમાં ભૂતમામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી 6 કિલોમીટરના રસ્તાનું ડામરથી કાર્પેટિંગની કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે. ડામરના જુના સ્તરને ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે. અંક્લેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. બે લેનના રસ્તાની એક લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે.
ભૂત મામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા પરના ડામરના પડ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે. જેના પગલે દુરીયું વાતાવરણ જોવા મળી રહ્યો છે માર્ગની ચાલી રહેલી કામગીરીના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સમાન અંતરે આ માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.ચોમાસા પહેલા આ છ કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે.
Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.