New Update
-
અંકલેશ્વર ભરૂચને જોડતા માર્ગનું સમારકામ
-
સમારકામની કામગીરીના પગલે વાહનચાલકોને હાલાકી
-
મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાતાવરણ ધૂંધળું
-
વાહનચાલકોને મુશ્કેલી
-
પાણીનો છંટકાવ કરવામાં આવે એવી માંગ
અંકલેશ્વરથી ભરુચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર હાલમાં ભૂતમામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી 6 કિલોમીટરના રસ્તાનું ડામરથી કાર્પેટિંગની કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે. ડામરના જુના સ્તરને ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે. અંક્લેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. બે લેનના રસ્તાની એક લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે.
ભૂત મામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા પરના ડામરના પડ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે. જેના પગલે દુરીયું વાતાવરણ જોવા મળી રહ્યો છે માર્ગની ચાલી રહેલી કામગીરીના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સમાન અંતરે આ માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.ચોમાસા પહેલા આ છ કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે.
Latest Stories