ભરૂચ : નંદિની પાર્કના રહીશો દ્વારા કલેકટરને આંતરિક માર્ગને લઈ આવેદન

ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશો એ વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશો એ વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના નિર્માણ બાદ સોસાયટીના સ્થાનિક રહીશો સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કરતાં આવ્યા છે. ત્યાર બાદ બાજુમાં યોગી ટાઉનશિપ સોસાયટીનું નિર્માણ થયેલ રહીશો પણ સદર માર્ગ નો ઉપયોગ કરતાં આવ્યા છે. હાલમાં યોગી ટાઉનશિપ-૨ નું નિર્માણ ચાલી રહ્યું છે. તે સોસાયટીમાં અવર-જવર માટે નંદિની પાર્ક સોસાયટીના માર્ગનો ઉપયોગ કરે છે.

યોગી ટાઉનશિપ-ર ની બાજુ માથી દહેજ બાયપાસ રોડ માર્ગ પસાર થાય છે. દહેજ બાયપાસ માર્ગ પરથી યોગી ટાઉનશિપ તરફ આવવા માટે એક પગદંડી આવેલ છે.સદર પગદંડી નંદિની પાર્ક સોસાયટીના આંતરીક માર્ગ સાથે જોડાયેલો છે.નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ દહેજ બાયપાસથી લીંક રોડના અવર- જવર માટે  મોટા વાહનો, કંપનીની બસો બેફામ રીતે તથા ખૂબ ઝડપી ગતિએ કરતા હોવા તથા ગેરકાયદેસર માલ-સમાન ની હેરફેર ગેરકાયદેસર રીતે થતી હોવાના આક્ષેપ સાથે   રહીશોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી તે બંધ કરાવવા ની માંગ કરી છે

નંદિની પાર્ક સોસાયટી નો માર્ગ આજુ બાજુ ની સોસાયટીના માર્ગ સાથે જોડીને માર્ગ લીંક રોડ સાથે મળે છે.આ માર્ગનો ઉપયોગ સ્થાનિક સોસાયટીના રહીશો અવર-જવર માટે વર્ષોથી ઉપયોગ કરે છે. જે બાબતે કોઈ તકરાર નથી.પણ છેલ્લા કેટલાક સમયથી  લીંક રોડ અવર-જવર મોટા વાહનો તથા દહેજ કંપનીની બસો તથા ટેમ્પાઓ આ માર્ગનો સતત ઉપયોગ કરતા હાઇવેના રસ્તા મુજબ ઉપયોગ થઈ રહ્યો છે.  જેના કારણે સ્થાનિક રહીશોમાં માર્ગ ઉપર ભય તથા અસલામતી અનુભવે છે.આ અંગે સ્થાનિકો દ્વારા પંચાયત તથા સભ્યઓને વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવેલ  પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી. તો આ મુદ્દે રહીશોની લાગણી અમે માંગણી ને ધ્યાને લઇ તે અંગે કાર્યવાહી કરી અહીંથી  બેફામ દોડતા વાહનો ને બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : લિંક રોડ સ્થિત સંકટમોચન હનુમાનજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, સિક્યુરિટીની સજાગતાના પગલે તસ્કરો ફરાર...

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો

New Update
Sankatmochan Hanumanji temple

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. મળતી માહિતી મુજબભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકશો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતોત્યારે નજીકની એચડીએફસી બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો ભયભીત થઈ ગયા હતાઅને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ રાખી દીધા હતા.

આ સાથે જ લાવેલા હથિયાર કુવાડીહથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મુકી નાસી છૂટ્યા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ તાત્કાલિક રીતે ભરૂચ એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેલગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતીત્યારે હાલ પોલીસ દ્વારા પેટ્રોલીંગની કામગીરીમાં વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.