અંકલેશ્વર: રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીનો માર્ગ અતિ બિસ્માર

અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર બિસ્માર રોડ અને જર્જરિત નાળાને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.

New Update

અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર બિસ્માર રોડ અને જર્જરિત નાળાને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર-રાજપીપળાને જોડતો માર્ગ ચોમાસાની સિઝન શરૂ થતાં જ બિસ્માર બન્યો છે.જેને પગલે આખો માર્ગ ખાડામય બની ગયો છે.ખાડાઓને કારણે વાહન ચાલકો યાતનાઓ વેઠી રહ્યા છે.તેવામાં માર્ગ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.સાથે રાજપીપળા ચોકડી નજીક કાંસ ઉપરનું નાળુ જર્જરિત બનતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.આ સ્થળેથી સ્કૂલ વાહનો અને ભારે વાહનો પણ પસાર થતાં હોવાની ગમે તે ઘડીએ આ નાળુ બેસી જાય તેવી શક્યતા રહેલી છે.
ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી  માંગ ઉઠી છે.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.