અંકલેશ્વરમાં મુશળધાર વરસાદને પગલે સંજયનગરમાં પાણી ભરાયા,વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા પણ કોઈ નિરાકરણ નહીં!

ગુજરાત | Featured | સમાચાર,ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું

New Update
ભરૂચ જિલ્લામાં વરસાદે બોલાવી ધબધબાટી 
Advertisment
અંકલેશ્વરમાં 2.6 ઇંચ વરસાદ ખાબક્યો 
નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં ભરાયું પાણી 
શહેરના સંજયનગરમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી 
ન.પા.પાસે પાણીના નિકાલનું કોઈજ સમાધાન નહીં 
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે,જ્યારે અંકલેશ્વરમાં 2.6 ઇંચ વરસાદ ખાબકતા નગરપાલિકા પ્રમુખના વોર્ડ સંજયનગરમાં પાણી ભરાયા હતા.જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Advertisment
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેને પગલે તારીખ 2જી સપ્ટેમ્બરથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.જાણવા મળ્યા મુજબ અંકલેશ્વરમાં વીત્યા ચોવીસ કલાકમાં 2.6 ઇંચ વરસાદ વરસ્યો હતો,જેના કારણે અંકલેશ્વર શહેરના સંજયનગરમાં વરસાદી પાણી ભરાઇ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સ્થાનિક રહીશોએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વર્ષોથી સંજયનગરમાં પાણી ભરાવાની સમસ્યા છે,પરંતુ તેનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવતુ નથી,માત્ર ચૂંટણી સમયે મત માંગવા માટે નેતાઓ દોડી આવે છે તેઓ આક્ષેપ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે સંજયનગર નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના વોર્ડમાં આવે છે,પાલિકા પ્રમુખનો વોર્ડ હોવા છતાં વરસાદી પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ ન હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.જ્યારે આ અંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતે કનેક્ટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાલિકા તંત્ર સંજયનગરની સમસ્યાથી પરિચિત છે અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે,જે અંગે આવનાર સમયમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે.   
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment