“કંકુ છાંટી કંકોત્રી મોકલો” : ભરૂચ જીલ્લા આહિર સમાજ દ્વારા 8માં સમૂહ લગ્નોત્સવ પ્રસંગે કંકોત્રી લેખન કાર્યક્રમ યોજાયો...

ભરૂચ જીલ્લા આહિર સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમૂહ લગ્ન પ્રસંગે આહિર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કંકોત્રી લેખન કાર્યક્રમ યોજાયો હતો.

New Update
aaa

દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આહિર સમાજનો 8મો સમૂહ લગ્ન મહોત્સવ

ભરૂચ જીલ્લા આહિર સમાજ દ્વારા આગામી તા. 20 એપ્રિલ-2025ના રોજ ભરૂચ દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આહિર સમાજનો 8મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ સમૂહ લગ્નમાં 12 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે, ત્યારે ભરૂચના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા આહિર સમાજના મુખ્ય કાર્યાલય ખાતે આહિર સમાજના આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં કંકોત્રી લેખન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભરૂચ જીલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિર, મહામંત્રી બાલુ આહિર, ખજાનચી નટવર આહિર તથા કમિટીના સભ્યો તેમજ નવયુગલોના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.