અંકલેશ્વરમાં શ્રી માર્કંડેશ્વર યુવક મંડળના શ્રી કૃષ્ણ સ્વરૂપ ગણેશજી બન્યા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ સ્વરૂપ એટલે કે ઇસ્કોન મંદિરના વિષય અનુરૂપ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે,

New Update

અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે  શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ સ્વરૂપ એટલે કે ઇસ્કોન મંદિરના વિષય અનુરૂપ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે,અને ભક્તોમાં મનમોહક વિઘ્નહર્તા દેવની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.

અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર મંદિરમાં ગણેશ યુવક મંડળ દ્વારા અંદાજીત છ દાયકાઓથી ગણપતિબાપાનું વિધિવત રીતે સ્થાપન કરીને ગણેશોત્સની ઉજવણી કરવામાં આવે છે,અને દર વર્ષે મનમોહક વિષયને અનુરૂપ મંડપમાં સજાવટ કરીને ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે,ત્યારે વર્તમાન ગણેશોત્સવમાં શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા ઇસ્કોન મંદિરની થીમ પસંદ કરીને ગણેશજીની આકર્ષક પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે,વિઘ્નહર્તા દેવને શ્રી કૃષ્ણ સ્વરૂપ સાથે રાધાજી,ગોપીઓ,ગોવાળીયા,નંદી ઘર સહિતની સજાવટે ગણેશોત્સવમાં ભક્તોમાં વૃંદાવનની છાપ અંકિત કરી છે.
શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળના યુવાનો છેલ્લા 10 - 12 વર્ષથી ઉત્સવની ઉજવણી પર્યાવરણની જાળવણી સાથે કરવાના ધ્યેય સાથે ઇકોફ્રેન્ડલી ગણેશોત્સવની ધર્મભીની ઉજવણી કરી રહ્યા છે,હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા આ યુવાનોએ ગણેશજીને શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપીને શ્રીજીના ભક્તોમાં અલાયદી ઓળખ ઉભી કરી છે.અને આકર્ષક ગણેશજીની શ્રી કૃષ્ણ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરનાર શ્રી માર્કંડેશ્વર યુવક મંડળના સાહસ,મહેનત અને ભક્તિને ભક્તો બિરદાવી રહયા છે.   
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.