ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ બન્યો પિકનીક પોઇન્ટ

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પ્રજાના દિવસોમાં જાણી પિકનિક પોઇન્ટ બની ગયો છે.મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર લટાર મારવા આવે છે અને સેલ્ફી પણ લઈ રહ્યા છે.

New Update

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પ્રજાના દિવસોમાં જાણી પિકનિક પોઇન્ટ બની ગયો છે.મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર લટાર મારવા આવે છે અને સેલ્ફી પણ લઈ રહ્યા છે.

ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજ હવે પિકનિક પોઈન્ટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.નર્મદા મૈયા બ્રીજના નિર્માણ બાદ ગોલ્ડન બ્રિજને તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે રવિવાર સહિતની રજાના દિવસોમાં લોકો લટાર મારવા ગોલ્ડન બ્રિજ પર આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે. આ સાથે જ બ્રિજની બન્ને તરફ વાહનોનો ખડકલો પણ જોવા મળે છે.

ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે ખાણીપીણીના સ્ટોલ હોવાના કારણે લોકોનો ધસારો વધુ રહે છે જેના કારણે વાહનોની કતાર લાગતા અંકલેશ્વર તરફ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને બોરભાઠા બેટ ગામ તરફ જવાનો માર્ગ બંધ થઈ જાય છે જેના પગલે ગ્રામજનોએ આ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી છે. આ તરફ મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર જતા હોવાથી બ્રિજ પર પણ સુરક્ષાને સલામતીના પગલાં તંત્ર દ્વારા ભરવામાં આવે એવી પણ લોકમાંગ ઉઠી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.