New Update
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ પોલીસે નર્મદામૈયા બ્રીજ ઉપરથી ટેમ્પો હંકારનાર ચાલકને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી.,એમ.એમ.ગાંગુલી દ્વારા જાહેરનામાનો અમલ કરવા સારૂ આપેલ સુચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.વી.કે.ભુતીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન નર્મદા મૈયા બ્રિજ પર અંકલેશ્વર તરફથી એક આઇસર ટેમ્પો નંબર-જી.જે.36.ટી.9664ન ચાલકે નર્મદામૈયા બ્રીજ ઉપરથી ટેમ્પો હંકારતા પોલીસે તેની જાહેરનામા ભંગ બદલ તેના વિરુધ્ધ ગુનો નોંધી મોરબીના ત્રાજપર ચાર ર૨તા પાસે પાસે રહેતો નિલેશ મોહનભાઈ નદીસાડીયાને ઝડપી પાડ્યો હતો.