અંકલેશ્વર: હાઇવે પર ઓવરબ્રિજની ઉંચાઈનો અંદાજ ન રહેતા ટ્રેલર ફસાયુ

અંકલેશ્વર નજીક હાઇવે પરથી વિશાળકાય મશીનરી લઈને પસાર થઈ રહેલ ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

New Update

અંકલેશ્વર નજીક હાઇવે પરનો બનાવ

ઓવરબ્રિજ નીચે ટ્રેલર ફસાય ગયું

વિશાળકાય મશીનરી લઈને જતું હતું ટ્રેલર

ટ્રેલર ફસાય જતા ટ્રાફિકજામની પરિસ્થિતિ

હવા કાઢી ટ્રેલરને પસાર કરાયુ

અંકલેશ્વર નજીક હાઇવે પરથી વિશાળકાય મશીનરી લઈને પસાર થઈ રહેલ ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલીયા ચોકડી ઓવરબ્રિજ નીચે એક ટ્રેલર ફસાઈ ગયું હતું.નાસિકથી એન્જિનિયરિંગ મશીનરી લઈને એક ટ્રેલર વડોદરા જઈ રહ્યો હતો ત્યારે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલીયા ચોકડી બ્રિજની ઊંચાઈનો અંદાજ ન રહેતા ટ્રેલર બ્રિજની નીચે ફસાઈ ગયું હતું જેના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.આ અંગેની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રેલરની હવા કાઢી  બ્રિજ નીચેથી પસાર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર અંકલેશ્વરની વાલીયા ચોકડી ઓવરબ્રિજ નીચે મોટી મશીનરી લઈ જતા ટ્રેલર ફસાઈ જાય છે ત્યારે વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.