અંકલેશ્વર: વિકેન્ડમાં નેશનલ હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

આમલાખાડીનો બ્રીજ જર્જરીત હાલતમાં છે, સાથે જ આ બ્રિજ સાંકડો હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ

  • ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ

  • 2થી 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો અટવાયા

  • આમલાખાડી પરનો બ્રિજ સાંકડો હોવાના કારણે ટ્રાફિકજામ

ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડીનો બ્રીજ જર્જરીત અને સાંકડો હોવાના કારણે અને સાથે જ વિકેન્ડ હોવાથી વાહનોની અવરજવર વધતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ભારે ટ્રાફિકજામના પગલે વાહનચાલકો અટવાયા હતા
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ,પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સાંજ-સવાર ટ્રાફિકજામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી નજીક આવેલ  આમલાખાડીનો બ્રીજ જર્જરીત હાલતમાં છે, સાથે જ આ બ્રિજ સાંકડો હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
તેવામાં આજરોજ ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર વાહનોની ૨ થી 3 કિલોમીટર લાંબી  કતાર જોવા મળી હતી.ટ્રાફિકજામના પગલે વાહન ચાલકો અટવાયા હતા. શનિ અને રવિવારની રજાઓમાં વાહનોની અવરજવર વધતા નેશનલ હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું જેના કારણે પણ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી ઉમરવાડા ગામ ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, 100થી વધુ બાળકોને લાભ અપાયો...

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશન, ABC બેબી કેર હોસ્પિટલ તથા ચેતના કેન્દ્ર-ઉમરવાડાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે આયોજન કરાયું

  • પ્રોલાઈફ ફાઉન્ડેશન, ABC બેબી કેર હોસ્પિટલનો સહયોગ

  • ચેતના કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ

  • બાળકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરાયું

  • મેડિકલ ચેકઅપ કેમ્પનો 100થી વધુ બાળકોને લાભ મળ્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશન, ABC બેબી કેર હોસ્પિટલ તથા ચેતના કેન્દ્ર-ઉમરવાડાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ પરિવારના બાળકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગ તથા ચેતના કેન્દ્ર-ઉમરવાડાના સંયુક્ત પ્રયાસોથી ઘોડિયા ઘરમાં નાના બાળકો માટે નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેડિકલ ચેકઅપ કેમ્પ દરમ્યાન અંકલેશ્વરની ABC બેબી કેર હોસ્પિટલના તબીબ ડો. તુષાર સાવલિયા અને ડો. રિદ્ધિ સેલડીયાએ પોતાની સેવાઓ આપી હતી. જેમાં 2થી 6 વર્ષ સુધીના બાળકોનું વજન, ઊંચાઈ સહિત તેઓના આરોગ્યની યોગ્ય તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સદર મેડિકલ ચેકઅપ કેમ્પનો 100થી વધુ પરિવારના બાળકોને લાભ મળ્યો હતો.
આ પ્રસંગે પ્રોલાઈફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારિક, વી.કે.પટેલ, ઉમરવાડા ગામના સરપંચ ઈમ્તિયાઝ માકરોડ, સામાજિક કાર્યકર બાબુ વકીલ, ચેતના કેન્દ્ર-ઉમરવાડાના ફિલ્ડ કોર્ડીંનેટર ફાલ્ગુની સિંધા, મહિલા મોરચાના પ્રમુખ ફેમિદા ગંઘાટ, સંજાલી તાલુકા પંચાયતના સભ્ય સુરેખા વસાવા સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ ચેકઅપ કેમ્પના સફળ આયોજન બદલ ગ્રામજનોએ પ્રોલાઈફ ફાઉન્ડેશન, ચેતના કેન્દ્ર-ઉમરવાડા તેમજ ABC બેબી કેર હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.