અંકલેશ્વર: વિકેન્ડમાં નેશનલ હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

આમલાખાડીનો બ્રીજ જર્જરીત હાલતમાં છે, સાથે જ આ બ્રિજ સાંકડો હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ

  • ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ

  • 2થી 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો અટવાયા

  • આમલાખાડી પરનો બ્રિજ સાંકડો હોવાના કારણે ટ્રાફિકજામ

Advertisment W3.CSS
ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડીનો બ્રીજ જર્જરીત અને સાંકડો હોવાના કારણે અને સાથે જ વિકેન્ડ હોવાથી વાહનોની અવરજવર વધતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ભારે ટ્રાફિકજામના પગલે વાહનચાલકો અટવાયા હતા
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ,પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સાંજ-સવાર ટ્રાફિકજામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી નજીક આવેલ  આમલાખાડીનો બ્રીજ જર્જરીત હાલતમાં છે, સાથે જ આ બ્રિજ સાંકડો હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
તેવામાં આજરોજ ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર વાહનોની ૨ થી 3 કિલોમીટર લાંબી  કતાર જોવા મળી હતી.ટ્રાફિકજામના પગલે વાહન ચાલકો અટવાયા હતા. શનિ અને રવિવારની રજાઓમાં વાહનોની અવરજવર વધતા નેશનલ હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું જેના કારણે પણ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.