ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે આયોજિત એથલેટિક મીટમાં ભરૂચના 2 સ્પર્ધકોનો ઉત્કૃષ્ટ દેખાવ...

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે ગુજરાત ઓપન એથલેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 400 મીટર દોડમાં ગોલ્ડમેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે.

New Update
  • ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા આયોજન

  • વડોદરા ખાતે ગુજરાત ઓપન એથલેટિક મીટ યોજાય

  • ગુજરાતમાંથી વિવિધ સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો

  • આ સ્પર્ધામાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો

  • શિવાંશ રાજ-પ્રિશા વસાવાએ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે ગુજરાત ઓપન એથલેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 400 મીટર દોડમાં ગોલ્ડમેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા ગુજરાત ઓપન એથલેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચની શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કુલના 2 વિદ્યાર્થી શિવાંશ રાજ અને પ્રિશા વસાવાએ અનુક્રમે અંડર-9 બોયઝ અને ગર્લ્સ 400 મીટર દોડમાં એથલેટિક કોચ શક્તિ સ્પોર્ટ્સના વિઠ્ઠલ શિંદેના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. જેમાં આ બન્ને સ્પર્ધકોએ પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડમેડલ અને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર મેળવી શાળા અને ભરૂચનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરતા શાળા પરિવાર તેમજ કોચ દ્વારા તેઓના ગૌરવભર્યા દેખાવ બદલ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.