ભરૂચ: નેત્રંગના ફૂલવાડી વીજ સબસ્ટેશનના સમર્થનમાં આવ્યા ગ્રામજનો, અગાઉ વિપક્ષે નોંધાવ્યો હતો વિરોધ

નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આગેવાન પરેશ વસાવા અને નેત્રંગ તાલુકાનાં થવા ગ્રૂપ ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામ ગ્રામજનો દ્વારા રેલી સાથે આજરોજ એક આવેદન પત્ર પાઠવ્યું

New Update

ભરૂચના નેત્રંગ તાલુકાના વીજ સબ સ્ટેશનનો વિવાદ

સબ સ્ટેશનના સમર્થનમાં આવેદનપત્ર પાઠવાયું

મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાય

અગાઉ કોંગ્રેસ દ્વારા પાઠવાયું હતું આવેદનપત્ર

વિપક્ષના આક્ષેપોને ખોટા ગણાવાયા

ભરૂચના નેત્રંગ તાલુકાનાં થવા ગ્રૂપ ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામ ખાતે વીજ પાવર હાઉસના સમર્થનમાં આગેવાનો અને ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું
ભરૂચની નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આગેવાન પરેશ વસાવા અને નેત્રંગ તાલુકાનાં થવા ગ્રૂપ ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામ ગ્રામજનો દ્વારા રેલી સાથે આજરોજ એક આવેદન પત્ર પાઠવ્યું હતું..
જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ-8મી ઓગસ્ટના રોજ થવા ગ્રુપ ફુલવાડી ગ્રામ પંચાયતનાં વિરોધમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના શેરખાન પઠાણ અને પંચાયતની ચુંટણીમા હારી ગયેલાં ઉમેદવાર અને તેઓની પેનલનાં માણસોએ ખોટા આક્ષેપો સાથે સરપંચની વિરોધમાં આવેદન પત્ર પાઠવ્યું હતું.
5મી જૂનના રોજ ગ્રામસભા યોજાઇ હતી જેમાં સર્વાનુમતે વીજ પાવર હાઉસ માટેની જમીનનો પ્રસ્તાવ મંજુર કરી ઠરાવ પસાર કર્યો હતો.જે ઠરાવને સમર્થન આપી વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા હોય આ પાવર હાઉસ બનાવવામાં આવે તો આજુબાજુ ગામના ખેડૂતો,વિદ્યાર્થીઓ અને લોકોને પણ રાહત મળે તેમ છે.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.