ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 18 ફૂટને પાર, કાંઠા વિસ્તારોમાં એલર્ટ !

નર્મદા ડેમના 12 ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો

New Update
  • નર્મદા નદીની જળ સપાટીમાં વધારો

  • નદીની સપાટી 17 ફુટને પાર

  • કાંઠા વિસ્તારોમાં એલર્ટ

  • નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી

  • નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થતા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમના 12 ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે સાંજના સમયે નદીની સપાટી 18 ફૂટને પાર કરી ગઈ હતી નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક  સપાટી 24 ફૂટ છે નદીની સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો થતા તંત્ર દ્વારા નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
Latest Stories