New Update
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયુ પાણી
4 લાખ ક્યુસેક પાણી છોડાયું
નર્મદા નદીની જળસપાટીમાં વધારો
ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટી વધી
ઝઘડિયાના ગામોમાં નદી બે કાંઠે
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની સતત આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાય રહ્યો છે. ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઉત્તરોઉત્તર વધારો નોંધાયો છે. નર્મદા નદીની જળ સપાટી 18 ફૂટને પાર કરી ગઈ હતી. નર્મદા ડેમમાંથી તબક્કાવાર ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે સીઝનમાં પ્રથમ વખત નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
ઝઘડિયામાં કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદા નદી છલોછલ નજરે પડી હતી જેના પગલે તેમની બોટ કિનારે લંગારવાની ફરજ પડી હતી.ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે જેના પગલે ડેમના દરવાજા ખોલી ચાર લાખ જેટલું પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે જેના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને કાંઠા વિસ્તારના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી. છેમ નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે અને ભયજનક સપાટી 24 ફૂટ છે ત્યારે સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
Latest Stories