ભરૂચ: અંકલેશ્વરના યુવાને સોશ્યલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજમાં રોષ

અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી

New Update

મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

યુવાને સોશ્યલ મીડિયામાં અલ્લાહ અંગે કરી ટિપ્પણી

મુસ્લિમ સમાજમાં રોષ

કડક કાર્યવાહી કરવાની માંગ

અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી
ભરૂચ અને અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતીનગર, મીરાનગરમાં રહેતા નિતિશ સિંઘ નામના ઈસમે સોશ્યલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે. જે અભદ્ર ટીપ્પણીથી સમગ્ર મુસ્લીમ સમાજની લાગણી દુભાઈ છે અને આવી વ્યકિત ધ્વારા સમગ્ર જીલ્લામા કોમી વયમનસ્ય ફેલાવી વાતાવરણ ડહોળાઈ તેવી પરિસ્થિતી ઉભી કરી છે જેથી આ ઈસમ સમયે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.