ઝઘડિયા : ગ્રામ્ય વિસ્તારમાં બની રહેલા માર્ગનું સાંસદે કર્યું નિરીક્ષણ, કામગીરીમાં ગોબાચારી આવી બહાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલા રસ્તાની કામગીરીનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

New Update
  • સાંસદ મનસુખ વસાવાએ કર્યું રિયાલિટી ચેક

  • ગ્રામ્ય વિસ્તારના માર્ગની કામગીરીનું કર્યું નિરીક્ષણ

  • હલકી ગુણવત્તા યુક્ત કામગીરીથી સાંસદ રોષે ભરાયા

  • રસ્તાના કામમાં પ્રથમ લેયરમાં જ જોવા મળી ગોબાચારી

  • સાંસદે કોન્ટ્રાકટર સહિતનાને કામગીરી સુધારવા આપી સૂચના 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલા રસ્તાની કામગીરીનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં હલકી ગુણવત્તા યુક્ત કામગીરી કરવામાં આવી રહી હોવાનો સાંસદે આક્ષેપ કર્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વલીગામથી કોલીયાપાડાવણખુટાપાડા તેમજ ઝઘડીયા અને નેત્રંગ તાલુકાને જોડતા માર્ગની કામગીરી ચાલી રહી છે.જે માર્ગનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતુંતેઓએ આ માર્ગ પર પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. જે રીતે મેટલિંગનો ઉપયોગ થવો જોઈએ તે થતો નથી અને તેઓએ જણાવ્યું હતું કે રોડમાં પાયાનું કામ જો નબળું હોય તો રોડ લાંબો સમય ટકવાનો નથી,અને રોડમાં પાયાનું કામ નબળું થતું હોવાથી રોડ તૂટી જવાની સંભાવના રહેલી છેસાંસદ મનસુખ વસાવા દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ ડેપ્યુટી એન્જિનિયરનાઓને સ્થળ પર બોલાવી કેટલાક સૂચનો કર્યા હતા.

ઝઘડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડની કામગીરી દરમિયાન સાંસદ મનસુખ વસાવા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે,જેમાં કામગીરી ગુણવત્તા યુક્ત ન હોવાના આક્ષેપ સાંસદે કર્યા હતા,જ્યારે સાંસદે ડેપ્યુટી એન્જિનિયરને જાણ કરતા તેઓએ પણ કામનું નિરીક્ષણ કર્યું હતું,અને ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું હતું કે આ માર્ગના કામમાં જે પણ ખામી  હશે તે સુધારી લેવામાં આવશે.

ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગની કામગીરીમાં ગોબાચારીની ફરિયાદ બાદ રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરને સાંસદે સ્થળ પર બોલાવીને જરૂરી સૂચનાઓ આપી હતી.જોકે કોન્ટ્રાકટર ધર્મેશ કામગીરી અંગે કોઈ ઠોસ પ્રત્યુતર આપી શક્યા નહોતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.