અંકલેશ્વર: A ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

અંકલેશ્વર A ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.

New Update
  • અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી સફળતા

  • પોલીસે ગુમ-ચોરી થયેલ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

  • રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ પરત કરાયા

  • તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ કાર્યવાહી

  • મોબાઈલ પરત મળતા લોકોમાં ખુશી

અંકલેશ્વર A ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
આ સાથે જ મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે  સૌ પ્રથમ ગુગલ પરથીWWW.CEIR.GOV.INપર જવાનું જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઇ.ડી.મળશે જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટ્સ ચેક કરી શકો છો.આજ પોર્ટલ પરથી તમે  મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો
Latest Stories
    Read the Next Article

    અંકલેશ્વર: હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીને બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવૉર્ડ એનાયત

    નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીસ લી. દ્વારા આયોજીત "Cooperative Sugar Industry Conclave 2025" & "National Efficiency Awards Ceremony"માં

    New Update
    IMG-20250704-WA0064
    નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીસ લી. દ્વારા આયોજીત "Cooperative Sugar Industry Conclave 2025" & "National Efficiency Awards Ceremony"માં ભારત સરકારના  કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને  કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે ભરૂચના હાંસોટમાં આવેલ પંડવાઈ સુગર ફેટકરીને વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર 2023-24 હેઠળ બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવૉર્ડ મળ્યો હતો.સુગર ફેકટરીના ચેરમેન અને અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતી.

    IMG-20250704-WA0073

    આ અંગે ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ પુરસ્કાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને મજબૂત નાણાકીય શિસ્તનું પ્રતીક છે. આ સિદ્ધિ  તમામ ડિરેક્ટર, તમામ વિભાગનાં વડા, એન્જીનીયર, કેમીસ્ટ, કર્મચારી સહીત સભાસદમિત્રો/ખેડૂતોમિત્રો અને સહયોગીઓની સામૂહિક મહેનત અને વિશ્વાસનું પરિણામ છે.અમે આ સન્માનને વધુ પ્રગતિ અને પારદર્શક કામગીરી માટે પ્રેરણા તરીકે સ્વીકારીએ છીએ
    Latest Stories