ભાવનગર : તળાજાના આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે કરી નરાધમની ધરપકડ

આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • તળાજા તાલુકાના આંબલા ગામની ચકચારી ઘટના

  • 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર

  • બાળકીની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યું

  • પીડિતાના પરિવારે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

  • પોલીસે નરાધમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફપોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. તળાજા તાલુકાના દાઠા પોલીસની હદમાં આવતા આંબલા ગામે વાડી વિસ્તારમાં એક નરાધમે 11 વર્ષીય બાળકીને પીંખી નાખી હતી. બાળકીની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મની સરમનાક ઘટના સામે આવી છે.

પીડિત બાળકીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતીજ્યારે ઘટનાને લઈ મહુવાASP અંશુલ જૈન પણ દાઠા દોડી આવ્યા હતા. તો બીજી તરફભોગ બનનાર દીકરીના પિતાએ દાઠા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર મામલે પોલીસે નરાધમ કરણ શ્યામજી ધાપાને ઝડપી પાડ્યો હતો. પીડિત દીકરીને ન્યાય મળે તે માટેASP અંશુલ જૈન દ્વારા વહેલી તકે ચાર્ટસીટ દાખલ કરવા હુકમ કરાયો છે.

Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે