ભાવનગર: કપાસનો 600 કિલો નકલી બિયારણનો જથ્થો ઝડપાયો,પોલીસે હાથ ધરી તપાસ
વલ્લભીપુર પોલીસે બાતમીને આધારે નસીતપુર ગામેથી નકલી બિયારણના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કારુવાહી હાથ ધરી છે.
BY Connect Gujarat Desk14 May 2023 7:34 AM GMT
X
Connect Gujarat Desk14 May 2023 7:34 AM GMT
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસે બાતમીને આધારે નસીતપુર ગામેથી નકલી બિયારણના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કારુવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા નીચે આવતા નશીતપર ગામે રહેતા આંબાભાઇ પનાળીયા અને જીવરાજભાઇ પનાળીયાનાઓ પોતાના રહેણાંક ઘરમાં બિન અધિકૃત કપાસના બિયારણનું પેકીંગ કરતા હોવાની હકિકત આધારે નશીતપર ગામે રેડ કરતા અલગ અલગ કોથળા મળી કુલ 429 કિલ્લોનું નકલી બિયારણ સાથે આંબા પનાળીયા અને જીવરાજ પનાળીયા જે બન્નેના કબજામાંથી કુલ રૂા. ૩.૪૫,૩૦૦/- નો શંકાસ્પદ અને બિન અધિકૃત કપાસના બિયારણ તથા તેને પૈકીંગ કરવાનો મુદામાલ મળી આવતા વલ્લભીપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story