ભાવનગર : રૂ. 68 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ કોર્ટ બિલ્ડીંગનું કરાશે નિર્માણ, કેન્દ્રિય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન

ભાવનગર ખાતે રૂ. 68 કરોડના ખર્ચે 6 માળના 25 કોર્ટ રૂમ ધરાવતા અત્યાધુનિક સુવિધા સજ્જ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવનાર છે.

New Update
ભાવનગર : રૂ. 68 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ કોર્ટ બિલ્ડીંગનું કરાશે નિર્માણ, કેન્દ્રિય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન

ભાવનગર ખાતે રૂ. 68 કરોડના ખર્ચે 6 માળના 25 કોર્ટ રૂમ ધરાવતા અત્યાધુનિક સુવિધા સજ્જ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવનાર છે. ભાવનગરમાં હાલમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ હાઇકોર્ટ રોડ પર આવેલું છે, જે ગીચ વિસ્તાર હોય અને વકીલો, અરજદારો સહિત ટ્રાફીક જામ થવાથી લોકો પરેશાન થતાં હોય છે, ત્યારે આ કોર્ટ બિલ્ડીંગ અન્ય સ્થળે ફેરવવા માંગણી કરવામાં આવી હતી.

Advertisment W3.CSS

જેના ભાગરૂપે સરકાર દ્વારા સિદસર રોડ પર જ્ઞાનમંજરી એન્જિનીયરીંગ કોલેજમાં કોર્ટ બિલ્ડીંગ માટે જગ્યા ફાળવાતા નવા કોર્ટ બિલ્ડીંગનો ભૂમિપૂજન સમારોહ કેન્દ્રીય લો એન્ડ જસ્ટીસ મંત્રી કિરેન રિજિજુની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. પ્રથમ વખત ભાવનગર આવેલા મંત્રી કિરેન રિજિજુનું ગોહિલવાડમાં અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના સાંસદ ડો. ભારતી શિયાળ, રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય વિભાવરી દવે, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મેયર કિર્તી દાણીધારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા, ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરી જી.આર.રાઘવેન્દ્ર, ગુજરાત સરકારના લો સેક્રેટરી પી.એમ.રાવલ, ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદા, મ્યુ. કમિશનર એન.વી.ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: પાનોલી GIDCની સ્ટરલાઈટ કંપનીમાં ભીષણ આગથી દોડધામ,5 ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબુ

કલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી

New Update
  • અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ

  • સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં આગ

  • આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

  • 5 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

Advertisment W3.CSS
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક નામની કંપનીમાં મોડી રાત્રીના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરમાં ફરી એક વાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી ગયો હતો. કામદારો સમયસુચકતા વાપરી બહાર નીકળી ગયા હતા.આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસીના 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
તો બીજી તરફ અંકલેશ્વર મામલતદાર,જીઆઇડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. લગભગ ૨ થી ૩ કલાકની જહેમત  બાદ 5 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.