ભાવનગર : ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિન્દરસિંઘ બીટ્ટાએ પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી...

ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને પૂર્વ ક્રિકેટર મનિન્દરસિંઘ બીટ્ટાએ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારની મુલાકાત લીધી

New Update
  • ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન ભાવનગરની મુલાકાતે

  • મનિન્દરસિંઘ બીટ્ટાએ જમ્મુ-કાશ્મીર આતંકવાદી હુમલાની નિંદા કરી

  • પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

  • પાકિસ્તાનએ વારંવાર કર્યા છે પીઠ ઉપર ઘા : મનિન્દરસિંઘ બીટ્ટા

  • પાકિસ્તાનને જવાબ આપવાનો સમય આવી ગયો : AIATF ચેરમેન 

જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારને ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને પૂર્વ ક્રિકેટર મનિન્દરસિંઘ બીટ્ટાએ સાંત્વના આપી હતી. આ સાથે જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું.

ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને પૂર્વ ક્રિકેટર મનિન્દરસિંઘ બીટ્ટાએ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારની મુલાકાત લીધી હતી. મનિન્દરસિંઘ બીટ્ટાએ ભાવનગર શહેરના કાળિયાબીડના મૃતકોના ઘરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંત્વના પાઠવી હતી. મનિન્દરસિંઘ બીટ્ટાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કેહવે પાકિસ્તાનને જવાબ આપવાનો સમય આવી ગયો છે.

પાકિસ્તાને વારંવાર પીઠ પર ઘા કર્યા છેઅને હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. આ 70 વર્ષ જૂની કેન્સરની બીમારીને જડમૂળમાંથી ખતમ કરવી પડશે. પ્રધાનમંત્રી મોદી જે નિર્ણય લેશેદેશનો દરેક નાગરિક તેમની સાથે રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, PM મોદી જેમ 370 હટાવીએમ POK પણ લઇ લો. POK ભારતમાં ભેળવવું એ જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે.

વધુમાં મનિન્દરસિંઘે ગુજરાતના નેતાઓની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કેનરેન્દ્ર મોદી અને અમિત શાહે કલમ 370 હટાવી કાશ્મીરની સ્થિતિ સામાન્ય કરી છે. તેમણે ઇઝરાયલનું ઉદાહરણ આપતા કહ્યું કેત્યાંના દરેક બાળકો દેશ માટે સમર્પિત છેત્યારે હવે ભારત દેશના દરેક નાગરિકે પણ દેશભક્ત બનવું પડશે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.