ભાવનગર:કબીર આશ્રમમાં દારૂ-બર્થ ડે પાર્ટી ચાલતી હોવાના સ્થાનિકોના આક્ષેપ, તંત્ર દ્વારા સીલકરાયું

કબીર આશ્રમના છેલ્લા દસ વર્ષના 1,78,000 બાકી વેરાને લઈને સિલ મારવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે

New Update
ભાવનગર:કબીર આશ્રમમાં દારૂ-બર્થ ડે પાર્ટી ચાલતી હોવાના સ્થાનિકોના આક્ષેપ, તંત્ર દ્વારા સીલકરાયું

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ કબીર આશ્રમમાં ધાર્મિક સ્થળને લાંછન લાગવતો બનાવ સામે આવ્યો છે.આશ્રમમાં ધાર્મિક પ્રવૃત્તિને સિવાય અન્ય ગેરપ્રવૃતિ થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભાવનગરમાં દારૂના દુષણને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ કબીર આશ્રમ જેની આસપાસમાં બે થી ત્રણ સોસાયટીઓ આવેલી છે ત્યારે સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું..

Advertisment

કે કબીર આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમને બદલે આશ્રમમાં બર્થ ડે પાર્ટી, દારૂપાર્ટી કરવામાં આવે છે આ પાર્ટીઓમાં દારૂ પણ મોટા પ્રમાણમાં પીવામાં આવે છે ત્યારે સ્થાનિકો દ્વારા ડી જે વગાડવાનીના પાડવા જતા સ્થાનિકોને ધમકી આપવામાં આવે છે આવી અનેક ફરિયાદોને લઈને સ્થાનિકોએ પોલીસ તેમજ મહાનગરપાલિકામાં અરજી કરેલી છે ત્યારે કબીર આશ્રમના છેલ્લા દસ વર્ષના 1,78,000 બાકી વેરાને લઈને સિલ મારવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે  

Advertisment
Read the Next Article

સુરત : સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી, FIR દાખલ કરાશે : મેયર દક્ષેશ માવાણી

સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી

New Update
  • શહેરભરના વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા

  • સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી

  • ડ્રાઈવર અને કંડકટરો દ્વારા કરાતી હેરાનગતી

  • મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી

  • 218 બસ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાય 

Advertisment

સુરત શહેરમાં સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા મુસાફરોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદોને લઈને FIR દાખલ કરવા સુધી મનપા તંત્રએ તૈયારી બતાવી છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં 1032 કંડકટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી હતીજ્યારે 218 બસ ડ્રાઈવર સામે પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.

 વધુમાં ગત વર્ષે સર્જાયેલા બસ અકસ્માત બાદ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ ટિકિટના દુષણના લીધે મોટું નુકશાન થઈ રહ્યું છેત્યારે હવે જે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરવી તેમજ લાઇસન્સ સસ્પેન્સ કરવા સાથે FIR દાખલ કરવામાં આવશે તેવું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યુ હતું.

Advertisment